Tambe Ke Totke: રાતોરાત ભાગ્ય ચમકાવશે તાંબાનો લોટો, બસ રાત્રે છુપાઈને કરી લો આ કામ

Tambe Ke Upay: જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાના લોટાનું વિશેષ મહત્વ હોય છે. તાંબાના વાસણને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તાંબાના લોટાના ટોટકે રાતોરાત ભાગ્ય ચમકાવી શકે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને તાંબાની સાથે જોડાયેલા કેટલાક ટોટકે જણાવી રહ્યાં છીએ, જેના કરવાથી મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય છે. 
 

1/7
image

જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાનું વાસણ પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરવા માટે તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. તાંબાના લોટામાં રાખેલું પાણી પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. આ સિવાય જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાના લોટાથી ભગવાનને સૂર્યને જળ અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તાંબા સાથે જોડાયેલા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને જીવનમાંથી ઘણી સમસ્યા દૂર કરી શકાય છે.   

કામમાં આવી રહેલા વિઘ્ન માટે ઉપાય

2/7
image

જો તમારા કામમાં વારંવાર વિઘ્ન આવી રહ્યાં છે કે કામ પૂરા થતા નથી કે કામમાં સફળતા મળી રહી નથી, તો તાંબાના લોટામાં ચપટી ભરી સિંદૂર નાખીને સુવા સમયે પાસે રાખો. હવે સવારે ઉઠીને આ પાણીને તુલસીને અર્પિત કરી દો. આમ કરવાથી તમારા અટવાયેલા કામ પૂરા થઈ જશે. 

 

 

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે

3/7
image

નકારાત્મકતા દૂર કરવા માટે રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી લો. તેને રાત્રે સુવા સમયે તમારી નજીક રાખો. સવારે ઉઠીને આ પાણી કોઈ છોડમાં રેડી દો. આમ કરવાથી નકારાત્મકતા દૂર થઈ જશે. 

 

 

ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે

4/7
image

શાસ્ત્રો અનુસાર ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે સવારે સ્નાન કર્યા બાદ એક તાંબાના લોટામાં સિંદૂર અને ચોખા મુકી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

 

 

આર્થિક તંગી દૂર કરવા માટે

5/7
image

આર્થિક તંગી દૂર કરવા માટે તાંબાના લોટાથી એક મહિના સુધી સૂર્યદેવને જળ ચઢાવી દેવું જોઈએ. આમ રોજ કરવાથી તમારી આર્થિત તંગી દૂર થવા લાગશે. 

 

 

માનસિક તણાવથી છુટકારો મેળવવા માટે

6/7
image

માનસિક તણાવને દૂર કરવા માટે પણ તાંબાનો લોટો તમને મદદ કરશે. તે માટે તમારે દરરોજ સુતા પહેલા તાંબાના લોટામાં પાણી ભરી બેડની નીચે રાખીને સુઈ જાવ. પછી સવારે ઉઠીને આ પાણીને કોઈ ઝાડ કે છોડમાં રેડી દો. 

પૈસા ટકતા નથી તો આ કરો

7/7
image

જો તમારી પાસે પૈસા રહેતા નથી કે ખુબ ખર્ચ થાય છે તો તે માટે તાંબાના લોટામાં પાણી ભરી દરરોજ સૂર્યને અર્ધ્ય આપો. આમ સતત 40 દિવસ સુધી કરવાથી તમને ફાયદો થશે.