નાળિયેર પાણીમાં મોટી માત્રામાં ઈલેક્ટ્રોલાઇટ્સ, પોટેશિયમ, મેગ્નીશિયમ, લોરિક એસિડ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે.
આ દેશી ડ્રિંક શરીરમાં રહેલી ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે.
હાર્ટના દર્દીઓ માટે નાળિયેરનું પાણી સ્વાસ્થ્યપ્રદ છે. તેના સેવનથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે.
આયરન અને વિટામિન કેથી ભરપૂર નાળિયેર પાણી વાળની ચમક વધારવામાં મદદ કરે છે.
નાળિયેર પાણીમાં બાયોએક્ટિવ એંઝાઇમ હોય છે, જેનાથી પાચન શક્તિ મજબૂત બને છે.
નાળિયેર પાણીમાં મેગ્નીશિયમની માત્રા વધુ હોય છે, જે સુગર લેવલની સાથે ઇંસુલિન સેન્સિટિવિટીને સારી કરે છે.
નાળિયેર પાણીમાં કેલેરીની માત્રા ખુબ ઓછી હોય છે અને તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.
તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ લીવરમાંથી કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે.
નાળિયેર પાણીમાં પોટેશિયમ અને મેગ્નીશિયમ હોય છે. તેના સેવનથી કિડની સ્ટોનનો ખતરો ઓછો રહે છે.
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.