દિવાળી પહેલા મળશે આ ભેટ: જીપીએફમાં પૈસા જમા કરાવવા પર મળશે વધુ પૈસા

વર્ષ 2018-2019 દરમિયાન 1 ઓક્ટોબર 2018થી 31 ડિસેમ્બર 2018ના સમયગાળામાં જનરલ પ્રોવિડેન્ટ ફંડ તથા આવી અન્ય ભવિષ્ય નિધી કોર્ષોના શેરધારકોના ખાતામાં જમાં કરેલી રકમ પર વ્યાજ 8 ટકાના દરથી મળશે.

દિવાળી પહેલા મળશે આ ભેટ: જીપીએફમાં પૈસા જમા કરાવવા પર મળશે વધુ પૈસા

નવી દિલ્હી: સરકારે જનરલ પ્રોવિડેન્ટ ફંડ (જીપીએફ) પર ઓક્ટોબર-ડિસેમ્બરનું ચાલુ ત્રિમાસીક વ્યાજ 0.4 ટાકા વધારીને 8 ટકા વાર્ષિક કરી દીધુ છે. આ લોક ભવિષ્ય નિધી યોજનામાં જમા રકમ પર આપી રહેલા વ્યાજ દરની સરખામણીએ છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસીકમાં જીપીએપ પર વ્યાજ 7.6 ટકા વાર્ષિક હતું. નાણા મંત્રાલયને આર્થિક વિભાગની એક સૂચનામાં કહેવામાં આવ્યું છે ‘... વર્ષ 2018-2019 દરમિયાન 1 ઓક્ટોબર 2018થી 31 ડિસેમ્બર 2018ના સમયગાળામાં જનરલ પ્રોવિડેન્ટ ફંડ તથા આવી અન્ય ભવિષ્ય નિધી કોર્ષોના શેરધારકોના ખાતામાં જમાં કરેલી રકમ પર વ્યાજ 8 ટકાના દરથી મળશે.

સરકારે ગત મહિને એનએસસી (રાષ્ટ્રીય બચત પત્ર) અને પીપીએફ (લોક ભવિષ્ય નિધિ યોજના) પર પણ વ્યાજ 0.4 ટકા વધારી દીધું હતું. બેંકોની જમા યોજનાઓના વ્યાજ દરમાં વધારાને જોઇ સરકારે તેમની યોજનાઓમાં પણ વ્યાજ વધારવાનો નિર્ણય કર્યો છે.

જાણવા મળી રહ્યું છે કે ગત મહિને સરકારે જાહેરાત કરી હતી કે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રણ મહિના માટે એનએસસી અને પીપીએફ સહિત નાની બચત પર વ્યાજ દર 0.4 ટકા સુધી વધારવામાં આવશે.

GPF निकासी के नियमों में ढील, अब सिर्फ 15 दिनों में मिल सकेगा GPF का पैसा

શું હોય છે જીપીએફ એકાઉન્ટ
જીપીએફ એકાઉન્ટ એક પ્રકારનું પ્રાઇવેટ ફંડ છે. જોકે તેમાં માત્ર સરકારી કર્મચારી જ પૈસા જમા કરાવી શકે છે. એટલે કે પ્રાઇવેટ નોકરી કરનાર લોકો માટે નથી. આ જમા પૈસા રિટાયર્મેન્ટના સમયે સરકારી કર્મચારીને મળી જાય છે.

આ સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે કર્મચારીઓ પોતાના પગારનો એક ભાગ જીપીએફમાં જમા કરાવવાનો રહે છે. એટલે કે આ કર્મચારી લોનની જરૂરિયાત હોય ત્યારે ખાતામાંથી લોન લઇ શકે છે. આ લોન પર કોઇ વ્યાજ લગાવવામાં આવતું નથી. કર્મચારીઓને જોઇએ તેટલી વખત આ એકાઉન્ટમાંથી લોન લઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news