Coronavirus Fake News Alert: કોરોના વેક્સીન લગાવ્યાના 2 વર્ષની અંદર થઈ જશે મોત? જાણો આ દાવાનું સત્ય

ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા Luc Montagnier નો અહેવાલ આપી ફેક ઈ મેઈલમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વેક્સીન લેનારાઓનું મોત નિશ્ચિત છે.

સોશિયલ મીડિયા પર અફવા

1/5
image

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ (PIB) હાલમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક ઇમેજમાં કોવિડ-19 વેક્સીન વિશે કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યો છે. આ તસવીરમાં ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા Luc Montagnier નો અહેવાલ આપી આ દાવો કરવામાં આવ્યો છે કે, વેક્સીન લેનારા લોકોની બચવાની કોઈ સંભાવના નથી.

PIB એ કર્યું અફવાનું ખંડન

2/5
image

ભારત સરકારની પત્ર સૂચના કાર્યાલયએ આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. સરકારે કહ્યું છે કે કોવિડ-19 વેક્સીન સંપૂર્ણપણે સલામત છે. સરકારે લોકોને આગ્રહ કર્યો છે કે, તેઓ આ પ્રકારની અફવાઓથી દૂર રહે.

મોતની ગેરેન્ટીનો દાવો ખોટો

3/5
image

ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા Luc Montagnier નો અહેવાલ આપીને ફેક ઇ-મેઇલમાં જણાવ્યું છે કે કોરોના વેક્સીન લેનારાઓનું મૃત્યુ નિશ્ચિત છે. જે સંપૂર્ણ રીતે ખોટું અને ભ્રામક છે. ZEE News પણ આવી કોઇ અફવાઓથી દૂર રહેવાની સલાહ આપે છે.

ભારતમાં કોરોના મહામારીને કારણે 3 લાખથી વધુ લોકોના મોત

4/5
image

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડ 71 લાખને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં 3 લાખ 10 હજારથી વધુ લોકોના મોત (Coronavirus Death) થયા છે.

મોતના મામલે ત્રીજા નંબર પર ભારત

5/5
image

અમેરિકા અને બ્રાઝિલ (America and Brazil) બાદ ભારત ત્રીજો દેશ બન્યો છે જ્યાં કોવિડ-19 થી 3 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં 6 લાખ 4 હજાર 82 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બ્રાઝિલમાં 4 લાખ 49 હજાર 185 લોકોનાં મોત નીપજ્યાં છે.