દીવાળી પૂરી થતા જ શનિ બનશે શક્તિશાળી, આ 5 રાશિવાળાનું કિસ્મત ચમકી જશે, બંપર ધનલાભથી મુશ્કેલીઓ થશે દૂર!

 શનિની આ વક્રી ચાલ 135 દિવસ માટે છે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ માર્ગી થઈ રહ્યા છે. શનિની માર્ગી થવું ખુબ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે ગ્રહ સામાન્ય ગતિથી ભ્રમણ કરે તો તેને માર્ગી કહે છે. શનિના માર્ગી થવાથી આ રાશિઓને ખુબ લાભ થઈ શકે છે...

1/6
image

ન્યાયના દેવતા શનિ મહારાજ જલદી માર્ગી થવાના છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. શનિ હાલ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે. શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે. શની 30 જૂન 2024થી વક્રી અવસ્થામાં છે. વક્રી અવસ્થા એટલે ઉલ્ટી ચાલ. શનીની વક્રી અને માર્ગી ચાલને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. શનિની આ વક્રી ચાલ 135 દિવસ માટે છે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ માર્ગી થઈ રહ્યા છે. શનિની માર્ગી થવું ખુબ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે ગ્રહ સામાન્ય ગતિથી ભ્રમણ કરે તો તેને માર્ગી કહે છે. શનિના માર્ગી થવાથી આ રાશિઓને ખુબ લાભ થઈ શકે છે...  

કર્ક રાશિ

2/6
image

કર્ક રાશિવાળા માટે 15 નવેમ્બર બાદથી શુભ સમયની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન કર્ક રાશિવાળાની આર્થિક સમસ્યાઓનો અંત આવશે. પૈસાની તંગી અને સમસ્યા દૂર થશે. તમારી લાઈફમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. 

વૃશ્ચિક રાશિ

3/6
image

શનિના માર્ગી થયા બાદ વૃશ્ચિક રાશિવાળા માટે સમય બદલાવ લઈને આવશે. તમારી આર્થિક, માનસિક મુશ્કેલીઓ દૂર થશે અને તમે તમારી લાઈફમાં ગ્રોથ કરવાની રાહ પર અગ્રેસર રહેશો. શનિદેવની કૃપાથી તમારા બધા કામ  બનતા જશે. જો તમે પ્રોપર્ટીમાં લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારતા હોવ તો તમારી આ મનોકામના પૂરી થશે. 

મકર રાશિ

4/6
image

મકર રાશિવાળા પર હાલ શનિની સાડાસાતીનો પ્રભાવ ચાલે છે. 15 નવેમ્બર બાદથી શનિદેવની કૃપા મકર રાશિવાળા પર થવાની છે. શનિ અવસ્થા દરમિયાન તમે અનેક મુશ્કેલીઓ ઝેલી, તમારા જે કામ બનતા બનતા અટકી રહ્યા હતા તે હવે પૂરા થશે. પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. 

કુંભ રાશિ

5/6
image

કુંભ રાશિવાળાની મુશ્કેલીઓનો 15 નવેમ્બર બાદ અંત આવશે. માતા પિતાનો સપોર્ટ મળશે. જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને તેમને મુશ્કેલીઓ આવતી હતી તેનું સમાધાન નીકળશે. આવકમાં વધારો થવાના આસાર છે. જોબ અને કરિયરમાં ગ્રોથ મળશે. 

મીન રાશિ

6/6
image

મીન રાશિવાળા માટે 15 નવેમ્બર બાદનો સમય ખુબ શુભ છે. તમને જોબમાં લોકોનો સપોર્ટ મળશે. સ્થાનમાં પરિવર્તન થઈ શકે છે. નવી નોકરી મળવાની શક્યતા છે જેનાથી તમારો ભાગ્યોદય થશે. તમે નોકરી માટે લાંબા સમયથી કોશિશ કરતા હતા તેમાં સફળતા મળી શકે છે. બિઝનેસમાં લાભની શક્યતા છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)