2025ની શરૂઆતમાં શનિ કરશે મહાગોચર, આ 3 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, સાડાસાતી-ઢૈય્યા વાળ પણ વાંકો નહીં કરી શકે

શનિ હાલ કુંભ રાશિમાં છે. જે શનિની સ્વ રાશિ છે. 2025માં શનિ દેવગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં ગોચર કરશે. શનિ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં 3 જૂન 2027 સુધી રહેશે. 

1/6
image

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ એ સૌથી ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે એવું મનાય છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. શનિ એક રાશિમાં લાંબા સમય સુધી રહેવાના કારણે કેટલીક રાશિઓ સૌથી વધુ પ્રભાવિત થતી હોય છે. શનિ હાલ કુંભ રાશિમાં છે. જે શનિની સ્વ રાશિ છે. 2025માં શનિ દેવગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં ગોચર કરશે. શનિ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં 3 જૂન 2027 સુધી રહેશે.   

શનિનું મીનમાં ગોચર

2/6
image

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ જાતક પર શનિની વિશેષ કૃપા થઈ જાય તો તેમના જીવનના દરેક કષ્ટ દૂર થાય છે. અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેનો અશુભ પ્રભાવ જાતકે જીવનમાં એકવાર તો અવશ્ય ઝેલવો પડે છે. હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને માર્ચ સુધી અહીં જ રહેશે. ત્યારબાદ મીનમાં પ્રવેશ કરશે. શનિના મીનમાં પ્રવેશતાની સાથે જ કેટલીક રાશિના જાતકોએ સાડા સાતી, ઢૈય્યાથી મુક્તિ મળશે. નિના મીન રાશિમાં ગોચરથી અઢી વર્ષનો સમય કેટલીક રાશિઓ માટે ખુબ ભાગ્યશાળી રહેશે. જાણો કોને ફળશે શનિનું મીનમાં ગોચર....

સિંહ રાશિ

3/6
image

વર્ષ 2025માં શનિના રાશિ પરિવર્તનથી સિંહ રાશિવાળાને ખુબ લાભ થશે. શનિનું મીનમાં ગોચર સિંહ રાશિના જાતકોને સારા પરિણામો અપાવશે. આ સમયગાળામાં સારા સમાચાર મળી શકે છે. શનિની કૃપાથી લાંબા સમયથી અટવાયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. નોકરીની શોધ કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. કોઈ નવા કામની શરૂઆત માટે આ સારો સમય રહી શકે છે. 

કન્યા રાશિ

4/6
image

કન્યા રાશિવાળા માટે શનિનું મીનમાં ગોચર ખુબ લાભકારી સાબિત થશે. આ સમયગાળામાં તમને ધનલાભના સારા અવસરો મળશે. નવા સોર્સથી ધનનું આગમન થશે. નોકરીયાતોને પ્રગતિ થશે. પરિવારનો સાથ મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમારું મન પ્રસન્ન રહેશે. 

વૃશ્ચિક રાશિ

5/6
image

વૃશ્ચિક રાશિવાળા માટે શનિનું રાશિ પરિવર્તન ખુબ લાભકારી રહેશે. શનિનું મીનમાં ગોચર તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આ સમયગાળામાં તમને પૂરતા પ્રમાણમાં ધન મળશે. તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. વેપારીઓ માટે સારો સમય રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. 

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.