શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી

 સનાતન ધર્મમાં શનિદેવની પૂજાનું ઘણું મહત્વ છે. ન્યાયના દેવતા કહેવાતા શનિદેવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે શનિવારે શનિ મંદિરમાં જઈને વિધિ-વિધાન અનુસાર ભગવાનની પૂજા કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થવા લાગે છે. 

શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી

Shani Dev Favorite Zodiac Signs: શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના દાતા કહેવામાં આવે છે. તે મનુષ્યોને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે અને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશતા અઢી વર્ષનો સમય લે છે. એટલે કે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આ દરમિયાન જો તે કોઈની કુંડળીમાં કોઈ શુભ સ્થાનમાં હોય તો તેને અપાર સુખ મળે છે. બીજી તરફ, અશુભ સ્થાને હોવાથી જીવનમાં મુશ્કેલીઓનો પહાડ ઉભો થઇ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવ હંમેશા કૃપાળુ રહે છે.

શનિની ત્રણ રાશિઓ સૌથી પ્રિય માનવામાં આવે છે. આ રાશિમાં મકર, કુંભ અને તુલા છે. શનિદેવને આ રાશિઓના સ્વામી કહેવામાં આવે છે. બીજી તરફ, તુલા રાશિને શનિની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે.

આ સિવાય મીન અને ધનુ રાશિ પર પણ શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ બંને રાશિઓનો સ્વામી દેવગુરુ ગુરુ શનિનો મિત્ર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિની સ્થિતિ મકર, કુંભ અને તુલા રાશિના લોકો માટે એટલી પીડાદાયક નથી જેટલી અન્ય રાશિઓ માટે છે.

કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત

તુલા રાશિ શનિદેવની પ્રિય રાશિઓમાંની એક છે. તુલા રાશિને શનિની ઉચ્ચ હોય છે. તે આ રાશિના લોકો પર હંમેશા પરોપકારી નજર રાખે છે. આ લોકોને શનિદેવની કૃપાથી દરેક પ્રકારના સુખ મળે છે.

શનિદેવને મકર રાશિ પણ ખૂબ પ્રિય છે. આ રાશિના સ્વામી શનિદેવ છે. જ્યારે શનિ મકર રાશિના શુભ સ્થાનમાં હોય છે ત્યારે આ લોકોને તેમના કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળે છે.

શનિદેવ કુંભ રાશિના પણ સ્વામી છે. શનિદેવની વિશેષ કૃપાથી કુંભ રાશિના જાતકોને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી. આ લોકોને ઓછી મહેનતમાં પણ સફળતા મળે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news