બનાસકાંઠામાં તીડના ત્રાસથી પરેશાન લોકોએ લીધો રાહતનો શ્વાસ

બનાસકાંઠા જિલ્લામાં આખરે 17 દિવસ બાદ તીડનો ત્રાસ (Loctus attack) ઓછો થયો છે. હવે તીડનો આતંક ઓછો થયા બાદ હવે તીડને કારણે થયેલ નુકશાનીનો સરવે ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવશે. ગ્રામ પંચાયત ખેતીવાડી વિભાગને રિપોર્ટ કરશે. જેમાં તલાટીઓ ગામોમાં થયેલ નુકશાનીવાળા ખેડૂતોની યાદી બનાવશે. આ યાદીને આધારે ગ્રામ સેવકો ખેતરમાં સરવે કરવા નીકળશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ સેવકો ફરીને તીડથી થયેલા નુકશાનીનો સરવે કરશે. આમ, તીડથી નુકસાન પામેલા ખેડૂતોને વળતરની આશા જાગી છે.

Trending news