આ દેશમાં ભૂખમરાથી થઇ શકે છે 20 લાખ લોકનું મોત, યુએનએ વ્યક્ત કરી આશંકા

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના કટોકટી રાહત કોઓર્ડિનેટરે કહ્યું કે, જો સોમાલિયાને તાત્કાલીક આંતરરાષ્ટ્રીય મદદ નહીં મોકલવામાં આવે તો ગરમીની ઋતુના અંત સુધીમાં 20 લાખથી વધારે પુરૂષ, મહિલાઓ અને બાળકોનું ભૂખમારાથી મોત થઇ શકે છે.

આ દેશમાં ભૂખમરાથી થઇ શકે છે 20 લાખ લોકનું મોત, યુએનએ વ્યક્ત કરી આશંકા

સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર (UN)ના કટોકટી રાહત કોઓર્ડિનેટરે કહ્યું કે, જો સોમાલિયાને તાત્કાલીક આંતરરાષ્ટ્રીય મદદ નહીં મોકલવામાં આવે તો ગરમીની ઋતુના અંત સુધીમાં 20 લાખથી વધારે પુરૂષ, મહિલાઓ અને બાળકોનું ભૂખમારાથી મોત થઇ શકે છે.

યૂએનના એન્ડરસેક્રેટરી- જનરલ માર્ક લોકોકે કહ્યું કે, દુકાળ પડ્યા બાદ સોમાલીયાને લગભગ 70 કરોડ ડોલરની જરૂરીયા છે, વરસાદ ના થવાથી પશુઓનું મોત થઇ રહ્યું છે અન પાક નિષ્ફળ થઇ ગયો છે.

તેમણે કહ્યું કે, યૂએનના કેન્દ્રીય કટોકટી રાહત કોષે દુકાળથી પ્રભાવિત ઇથોપિયા અને કેન્યા સાથે સાથે સોમાલિયામાં દૈનિક આવશ્યકતાની વસ્તુઓ, પાણી અને ખોરાકની જરૂરીયાત પૂરી કરવા માટે 4.5 કરોડ ડોલરની રકમ ફાળવવામાં આવે છે.

માર્કે કહ્યું કે, સોમાલિયાની આબાદી 1.5 કરોડ છે. જેમાંથી 30 લાખ લોકો માત્ર ભોજનની ન્યૂનતમ જરૂરિયાતોને પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ભોજનની અછતની સ્થિતિ છેલ્લા શિયાળા કરતા ઘણી ખરાબ થઇ ગઇ છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news