New Rule: સાવધાન! બેંકમાં Cheque આપતાં પહેલાં જાણી લો RBI નો આ નિયમ, નહીતર વેઠવું પડશે ભારે નુકસાન

આરબીઆઇએ નેશનલ ઓટોમેટિડ ક્લીયરિંગ હાઉસ  (NACH) ને હવે 24 કલાક સાત દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ નવો નિયમ લાગૂ પડશે. 

New Rule: સાવધાન! બેંકમાં Cheque આપતાં પહેલાં જાણી લો RBI નો આ નિયમ, નહીતર વેઠવું પડશે ભારે નુકસાન

નવી દિલ્હી: RBI New Rule: જો તમે ચેક વડે પેમેન્ટ કરો છો તો તમારા માટે એકદમ જરૂરી સમાચાર છે. હવે કોઇપણ વ્યક્તિ અથવા સંસ્થાને ચેક આપતાં પહેલાં આરબીઆઇનો નવો નિયમ જાણી લો. જોકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) એ એક ઓગસ્ટના રોજ બેંકીંગ નિયમોમાં થોડો ફેરફાર કરી દીધો છે. આરબીઆઇએ નેશનલ ઓટોમેટિડ ક્લીયરિંગ હાઉસ  (NACH) ને હવે 24 કલાક સાત દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ નવો નિયમ લાગૂ પડશે. 

ચેક આપતાં પહેલાં જાણી લો આ નિયમ
આ નવા નિયમ હેઠળ હવે રજા દિવસે પણ તમારો ચેક ક્લિયર થઇ જશે. પરંતુ એવામાં હવે તમારે સર્તક રહેવાની પણ જરૂર છે. આમ એટલા માટે કારણ કે હવે શનિવારે ઇશ્યૂ કરવામાં આવેલા ચેક રવિવારે પણ ક્લીયર થઇ શકે છે. એટલે કે તમારે ચેકના ક્લીયરન્સ માટે દરેક વખતે બેલેન્સ રાખવું પડશે, નહીતર તમારો ચેક બાઉન્સ થશે તો તમને પેનલ્ટી લાગી શકે છે. પહેલો ચેક ઇશ્યૂ કરતી વખતે ગ્રાહકને એવું લાગે છે કે આ રજા બાદ જ ક્લીયર થશે. પરંતુ હવે રજાના દિવસે પણ આ ક્લીયર થઇ શકે છે. 

સેલરી, પેન્શન, EMI પેમેન્ટની સુવિધા માટે પણ
તમને જણાવી દઇએ કે NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જેને નેશનલ પેમેટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI) કરે છે. જે ઘણા પ્રકારના ક્રેડિટ ટ્રાંસફર જેમકે ડિવિડેન્ડ, ઇન્ટરેસ્ટ, સેલરી અને પેન્શનની સુવિધા આપે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોકસિટી બિલનું પેમેન્ટ, ગેસ, ટેલિફોન, પાણી, લોનની ઇએમઆઇ, મ્યુચલ ફંડ રોકાણ અને ઇંશ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણીની સુવિધા પણ આપે છે. એટલે કે હવે તમારે આ બધી સુવિધાઓને પ્રાપ્ત કરવા માટે સોમવારથી શુક્રવાર એટલે કે Week Days ની રાહ જોવી નહી પડે, આ કામ Week Days માં પણ થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news