અલવિદા સુશાંત: પવનહંસ સ્મશાન ઘાટ પર થશે અંતિમ સંસ્કાર, પિતા અને પરિજનો પહોંચ્યા મુંબઇ

બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput) રવિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. મનોરંજન જગત અને તેમના પ્રશાંસકો આ દુ:ખદ સમાચાર જાણીને સ્તબ્ધ રહી ગયાં. સુશાંતની આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું જણાવાઈ રહ્યું છે. આ કેસમાં તપાસમાં લાગેલી પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. સુશાંત સિંહના પાર્થિવ શરીરના આજે અંતિમ સંસ્કાર થશે.

અલવિદા સુશાંત: પવનહંસ સ્મશાન ઘાટ પર થશે અંતિમ સંસ્કાર, પિતા અને પરિજનો પહોંચ્યા મુંબઇ

મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput) રવિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. મનોરંજન જગત અને તેમના પ્રશાંસકો આ દુ:ખદ સમાચાર જાણીને સ્તબ્ધ રહી ગયાં. સુશાંતની આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું જણાવાઈ રહ્યું છે. આ કેસમાં તપાસમાં લાગેલી પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. સુશાંત સિંહના પાર્થિવ શરીરના આજે અંતિમ સંસ્કાર થશે.

મુંબઇના પવનહંસ સ્મશાન ઘાટ પર સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોડી રાતે આવ્યો જેમાં આત્મહત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને હજુ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. ડોક્ટરોએ તેમના બોડીના વાઈટલ ઓર્ગન્સ વધુ તપાસ માટે જેજે હોસ્પિટલ મોકલ્યા છે. જ્યાં શરીરમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સ કે ઝેરની હાજર અંગે જાણકારી મેળવવામાં આવશે. તેમના પિતા અને અન્ય પરિજનો પટણાથી મુંબઈ પહોંચ્યા છે. 

અંતિમ સંસ્કાર પહેલા કરાશે એક ખાસ પૂજા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર અગાઉ એક ખાસ પૂજા કરવામાં આવશે. જેને પંચક પૂજા કહે છે. ગરૂડ પુરાણ મુજબ જો કોઈનું મૃત્યુ પંચકમાં થાય તો તો તેની સાથે આ આફતા તેના પરિવારના પાંચ લોકો ઉપર પણ આવે છે. સુશાંતના પરિવારના નજીકના જ્યોતિષીએ પરિવારને જણાવ્યું કે સુશાંત સિંહનું મૃત્યુ પંચક વિચરમાં થયું છે. અષાઢ મહિનાના પંચકની શરૂઆત 11 જૂનથી થઈ છે. જે 16 જૂન સુધી રહેશે. પંચક પાંચ પ્રકારના હોય છે જેમાં રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક, અને ચોર પંચક સામેલ છે. 

(સુશાંત સિંહના પિતા)

સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસે સુશાંતના બેંક અકાઉન્ટ્સની પણ તપાસ કરી છે. પરંતુ કશું એવું મળ્યું નથી. જેનાથી શક ઉપજે. પોસ્ટરમોર્ટમ રિપોર્ટમાં પણ એવું કશું મળ્યું નથી કે જેનાથી જાણકારી મળે કે તેઓ કોઈ એવી દવાનું સેવન કરતા હતાં. પોલીસની તપાસ હવે રિલેશનશીપ અને તેમના પરિવાર પર ટકેલી છે. 

એવું પણ સામે આવ્યું છે કે સુશાંતે હાલમાં જ પિતા સાથે વાત કરી હતી જેમાં તેમણે નવેમ્બરમાં લગ્નની વાત કરી હતી. સુશાંતના નીકટના મિત્રોએ પોલીસને જણાવ્યું કે જે યુવતી સાથે તેઓ લગ્ન કરવાના હતાં તેની સાથે રિલેશનશીપને લઈને કશું ઠીક ચાલતું નહતું. 

સૂત્રોના જણાવ્યાં મુજબ સુશાંતના ઘરમાં અકસ્માત સમયે તેમના ઉપરાંત અન્ય 4 લોકો હાજર હતાં. જેમાંથી બે તેમના રસોઈયા, એક હાઉસકિપિંગ સામેલ છે. સુશાંતે અડધી રાતે પોતાના એક મિત્રને ફોન કર્યો હતો પરંતુ તે મિત્ર સાથે વાત થઈ શકી નહતી. 

જુઓ LIVE TV

પોલીસના જણાવ્યાં મુજબ સુશાંત પોતાના બેડરૂમમાં જ હતાં. રવિવારે સવારે નાશ્તા સમયે સુશાંતે લાંબા સમય સુધી પોતાના બેડરૂમનો દરવાજો  ખોલ્યો નહતો. લગભગ 12 વાગે દરવાજો તોડવામાં આવ્યો તો સુશાંતનો મૃતદેહ સિલિંગ સાથે લટકતો જોવા મળ્યો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news