મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની કહાની! પત્નીએ જ પતિને પતાવી દીધો, લાલબત્તી સમાન ઘટના

મહેસાણા દેવરાસણ કેનાલ પાસે વિજાપુર તાલુકાના ભીમપુરા ગામના અતુલ રાવળની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી.

મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની કહાની! પત્નીએ જ પતિને પતાવી દીધો, લાલબત્તી સમાન ઘટના

તેજસ દવે/મહેસાણા: મહેસાણામાં પતિ પત્ની ઔર વોની ચોંકાવનારી અને લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. પોતાનો પતિ ન ગમતા કાયદાના સંઘર્ષમાં આવતી મહિલાએ પ્રેમી સાથે મળી પોતાના પતિની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. શું છે સમગ્ર મામલો?

મહેસાણા દેવરાસણ કેનાલ પાસે વિજાપુર તાલુકાના ભીમપુરા ગામના અતુલ રાવળની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું. પતિની હત્યા કર્યા બાદ કાયદાના સંઘર્ષમાં આવતી આ બાળકી નંદાસણ પોલીસ મથકે પહોંચી અને પોતાના પતિની હત્યા કરી હોવાની કબુલાત કરી. ઘટનાની ગંભીરતાને લઈ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે પી સોલંકી પૂછતાછ કરતા આ બાળકી પોતાના પતિની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહી હતી. 

પત્ની એ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું કબુલાત કરવા છતાં પોલીસને શંકા જતા ટેકનીકલ સર્વેલેન્સની મદદથી પત્નીએ પ્રેમી સાથે મળી પોતાના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું. ભીમપુરા ગામેથી પોતાની પત્ની સાથે મૃતક અતુલ રાવળ પાલોદર સ્થિત જોગણી માતાના મંદિરે દર્શનાર્થે આવ્યો હતો. ત્યાં પત્નીના પ્રેમીને જોતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આગળ મળીએ તેમ કહીને ત્યાંથી મૃતક અતુલ રાવળ તેની પત્ની સાથે બાઈક પર નીકળ્યો. 

આરોપી જયેશજી ઠાકોર તેના પાછળ પાછળ ગયો. ત્યારબાદ દેવરાસણ કેનાલ નજીક બંને વચ્ચે રકજક થઈ અને પોતાની પાસે રાખેલ ખંજર કાઢી જયેશજી ઠાકોરે અતુલના ગળાના ભાગે તથા છાતીના ભાગે હુમલો કર્યો. પત્નીએ પણ પ્રેમી જયેશજી સાથે મળી ત્યાંને ત્યાં જ પતિનું ઢીમ ઢાળી દીધું. હત્યા કર્યા બાદ આરોપી જયેશજી ઠાકોર અને મૃતકની પત્ની નંદાસણ પોલીસ સ્ટેશને ગયા. જયેશજી ઠાકોર મૃતકની પત્નીને ત્યાં ઉતારીને પોતાના ઘરે રવાના થયો હોવાની વાત સામે આવી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લગ્નના પાંચ દિવસ પહેલા મૃતકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું. ત્યારબાદ પરિવારના સમજાવટ બાદ અતુલ રાવળ સાથે લગ્ન કરાવ્યા પરંતુ પહેલેથી જ આરોપી જયેશજી ઠાકોરને સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે મૃતક અતુલ રાવળ સાથે પત્નીને બનતું ન હતું. જેને લઈને આજે એક યુવક અને પરિવારને પોતાનો એકનો એક દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news