સાબરકાંઠા: આશ્રમશાળાના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, સ્યૂસાઈડ નોટથી થયો ચોંકાવનારો ખુલાસો

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પૃથ્વીપુરા ગામે આવેલી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા કિશોરે આત્મહત્યા કરી લીધી હતી. બનાસકાંઠાના દાંતા તાલુકાના કુકડી ગામનો રહેવાશી અને પૃથ્વીપુરા ગામે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ લખીને ઝાડ પર ગળે ફાંસો ખાઇ લઇને આત્મહત્યા કરી લીધી હતી

સાબરકાંઠા: આશ્રમશાળાના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, સ્યૂસાઈડ નોટથી થયો ચોંકાવનારો ખુલાસો

શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પૃથ્વીપુરા ગામે આવેલી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા કિશોરે આત્મહત્યા કરી લીધી હતી. બનાસકાંઠાના દાંતા તાલુકાના કુકડી ગામનો રહેવાશી અને પૃથ્વીપુરા ગામે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ લખીને ઝાડ પર ગળે ફાંસો ખાઇ લઇને આત્મહત્યા કરી લીધી હતી

બનાવની વિગત એવી છે કે સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પૃથ્વીપુરા ગામે આવેલી આશ્રમશાળાના કંપાઉન્ડ વિસ્તારમાં કણજીના ઝાડ પર દોરડા વડે લટકતી હાલતમાં એક કીશોરનો મૃતદેહ જોવા મળ્યો હતો અને જેને લઇને તપાસ કરતા મૃતક કિશોર સ્થાનિક આશ્રમ શાળામાં જ રહીને ધોરણ દશમાં અભ્યાસ કરતો હોવાનુ સામે આવ્યુ હતું. મૂળ બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના કુકડી ગામનો કિશોર વિધ્યાર્થીએ એક તરફી પ્રેમ સંબંધોને લઇને આત્મહત્યા કરી હોવાનુ સ્યુસાઇડ નોટ પરથી પ્રાથમિક રીતે પોલીસે અનુમાનીક તપાસ હાથ ધરી છે. 

જુઓ LIVE TV

જોકે આ પહેલા પોલીસે શાળા અને અન્ય તમામ પ્રકારે પણ કિશોર ને લઇને તપાસ હાથ ધરી હતી પરંતુ આખરે કિશોરના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠી તેનો પરીવાર આવતા ખોલીને વાંચતા આત્મહત્યા પાછળનો હેતુ સામે આવ્યો હતો. જોકે પોલીસે હવે તેના પરીવારજનોને આધારે ફરીયાદ નોંધી વધુ તપાસ હથ ધરી છે. મળેલી ચિઠ્ઠી મુજબ તેણે તેના માતા અને પિતાની પણ માફી માંગી હતી અને આ સિવાય પણ તેના પરીચિતોની પણ માફી માંગતા શબ્દો લખ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news