Aditya L-1 Mission: ચંદ્ર પછી હવે સૂરજનો વારો, બે સપ્ટેમ્બરે લોન્ચ થશે ઇસરોનું સૂર્ય મિશન

ISRO Aditya L1 Mission: ચંદ્ર પર ઐતિહાસિક ફતેહ બાદ હવે ઇસરો સૂર્ય પર જવાની તૈયારી કરી ચૂક્યું છે. તેનું આદિત્ય એલ1 મિશન સપ્ટેમ્બરમાં લોન્ચ થશે. 

Aditya L-1 Mission: ચંદ્ર પછી હવે સૂરજનો વારો, બે સપ્ટેમ્બરે લોન્ચ થશે ઇસરોનું સૂર્ય મિશન

Aditya L1 Mission: મિશન મૂન અંતગર્ત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ ISRO મિશન સન હેઠળ સૂર્ય સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. 2 સપ્ટેમ્બરના રોજ ISRO PSLV રોકેટ દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR (SDSC SHAR) શ્રીહરિકોટાથી આદિત્ય-L1 લોન્ચ કરશે.

ISRO નું આદિત્ય L1 મિશન ભારતીય અવકાશ એજન્સીનું સૌથી મુશ્કેલ મિશન છે. ઈસરોના વડા એસ. સોમનાથે પણ તાજેતરમાં કહ્યું હતું કે ભારત હવે સૂર્ય પર તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું, “છેલ્લા કેટલાક મહિનાઓથી સ્પેસ એજન્સીનું ધ્યાન ચંદ્રયાન-3 પર હતું. તેમજ ISRO અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યું છે જે આગામી મહિનાઓમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.

મિશન મૂન પછી લોન્ચ કરવામાં આવશે આ મિશન
એસ સોમનાથે જણાવ્યું હતું કે મિશન મૂનની ઐતિહાસિક સફળતા બાદ ભારત આગામી ત્રણ મહિનામાં આદિત્ય એલ1 અને ગગાયાન સહિત અનેક મહત્વપૂર્ણ મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું, “અમારી કતારમાં ઘણા મોટા મિશન છે. ચંદ્રયાન-3 પછી અમે આદિત્ય L1 લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.

શું છે આદિત્ય L1 મિશન?
આદિત્ય L1 વિશે માહિતી આપતાં ISROના વડાએ કહ્યું, “આ ભારતનું પહેલું સૌર મિશન છે જે સૂર્યનો અભ્યાસ કરશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં આ અવકાશયાન લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રોજેક્ટને એસેમ્બલ કરીને શ્રીહરિકોટા લોન્ચ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય એલ1 અવકાશયાનમાં સાત પ્રકારના વૈજ્ઞાનિક પેલોડ હશે. તેઓ અલગ અલગ રીતે સૂર્યનો અભ્યાસ કરશે. આ વાહન લગભગ 5 વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news