ગલવાન ઘાટીમાં 3 જવાન શહીદ, રક્ષામંત્રીએ તાબડતોબ યોજી બેઠક, PMને આપી જાણકારી

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લદાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે મોડી રાતે હિંસક ઝડપ થઈ જેમાં ભારતીય સેનાના એક કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન શહીદ થયાં. આ ઘટના બાદ એક હાઈ લેવલની બેઠક થઈ છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે સેનાની ત્રણેય પાંખના વડા હાજર હતાં. આ ઉપરાંત CDS જનરલ બિપિન રાવત અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં.  

ગલવાન ઘાટીમાં 3 જવાન શહીદ, રક્ષામંત્રીએ તાબડતોબ યોજી બેઠક, PMને આપી જાણકારી

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લદાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે મોડી રાતે હિંસક ઝડપ થઈ જેમાં ભારતીય સેનાના એક કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન શહીદ થયાં. આ ઘટના બાદ એક હાઈ લેવલની બેઠક થઈ છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે સેનાની ત્રણેય પાંખના વડા હાજર હતાં. આ ઉપરાંત CDS જનરલ બિપિન રાવત અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં હાજર હતાં. 

આ બેઠકબાદ રાજનાથ સિંહ થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લદાખની ઘટના અંગે જાણકારી આપી દીધી છે. અત્રે જણાવવાનું કે ગલવાન ઘાટીમાં છેલ્લા એક મહિનાથી ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા ચાલે છે. આ પ્રક્રિયા દરમિયાન ચીની સૈનિકો સાથે હિંસક ઝડપ થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ ચીની સૈનિકો પાછળ હટવા તૈયાર ન હતાં. 

ગલવાન વેલીમાં 6 જૂનના રોજની મીટિંગ બાદ સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયા ચાલુ હતી. 6 જૂનના રોજ કોર કમાન્ડરની બેઠક થઈ હતી. જેમાં નક્કી થયું હતું કે સૈનિકો પાછળ હટશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news