રાજસ્થાનમાં 14મી ઓગસ્ટથી વિધાનસભાનું સત્ર, સરકારના પ્રસ્તાવને રાજ્યપાલની મંજૂરી

રાજસ્થાન (Rajasthan) ના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ગેહલોત સરકારના વિધાનસભા સત્ર બોલાવવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો ઓછે. ગેહલોત સરકારે રાજ્યપાલને 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવાની માંગણી કરી હતી. આ અગાઉ સત્ર બોલાવવાને લઈને ગેહલોત કેબિનેટની બેઠક થઈ હતી, જેમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવા માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. પ્રસ્તાવને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યો હતો અને તેમણે આખરે તે સ્વીકારી લીધો. 

રાજસ્થાનમાં 14મી ઓગસ્ટથી વિધાનસભાનું સત્ર, સરકારના પ્રસ્તાવને રાજ્યપાલની મંજૂરી

જયપુર: રાજસ્થાન (Rajasthan) ના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ગેહલોત સરકારના વિધાનસભા સત્ર બોલાવવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો ઓછે. ગેહલોત સરકારે રાજ્યપાલને 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવાની માંગણી કરી હતી. આ અગાઉ સત્ર બોલાવવાને લઈને ગેહલોત કેબિનેટની બેઠક થઈ હતી, જેમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવા માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. પ્રસ્તાવને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યો હતો અને તેમણે આખરે તે સ્વીકારી લીધો. 

રાજભવન તરફથી અપાયેલા નિવેદન મુજબ રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજસ્થાન વિધાનસભાના સત્રને 14 ઓગસ્ટથી શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલે રાજસ્થાન વિધાનસભાના સત્ર દરમિયાન કોવિડ-19થી બચાવ માટે જરૂરી વ્યવસ્થા કરવાના મૌખિક નિર્દેશ પણ આપ્યાં છે.

અત્રે જણાવવાનું કે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને છેલ્લા કેટલાક દિવસથી રાજ્યપાલ અને સીએમ ગેહલોત વચ્ચે ખેંચતાણ ચાલુ હતી. સીએમ ગેહલોત જ્યાં સત્ર બોલાવવા પર મક્કમ હતાં ત્યાં રાજ્યપાલ સરકારના પ્રસ્તાવને અસ્વીકાર કરતા હતાં. ગેહલોત જૂથના વિધાયકોએ તો રાજભવન આગળ ધરણા પણ ધર્યા હતાં. ત્યારબાદ રાજ્યપાલે સીએમ ગેહલોતને નામે એક પત્ર લખ્યો હતો.

જુઓ LIVE TV 

રાજ્યપાલ તરફથી માગણી ન સ્વીકારાયા બાદ સીએમ ગેહલોતે પીએમ મોદી સાથે પણ વાત કરી હતી. તેમણે પીએમ મોદીને રાજ્યપાલ કલરાજ મિશ્રાના વર્તન અંગે જણાવ્યું. આ ઉપરાંત ગેહલોતે અનેક વખત રાજ્યપાલ પર નિશાન પણ સાધ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news