આજથી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, છપ્પરફાડ ધનલાભ ઉપરાંત જે ઈચ્છા કરશો તે પૂરી થશે!

વૈદિક જ્યોતિષ મુજબ આજે બે અત્યંત પ્રભાવશાળી ગ્રહો મંગળ અને શનિ નવપંચમ યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ યોગની શુભ અસર 3 રાશિના જાતકો પર સકારાત્મક જોવા મળશે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...
 

1/5
image

સપ્ટેમ્બર મહિનો કેટલીક રાશિના જાતકોને ભેટ આપીને જઈ રહ્યો છે. 30 નવેમ્બરનો દિવસ એટલે કે આજે ગ્રહોના ગોચરથી ખુબ મહત્વપૂર્ણ સંયોગ બની રહ્યા છે. આજે વૈદિક જ્યોતિષના 2 અત્યંત શક્તિશાળી ગ્રહો મંગળ અને શનિ નવપંચમ યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ ખગોળીય ઘટના જ્યોતિષની દ્રષ્ટિએ ખુબ મહત્વ ધરાવે છે. જ્યોતિષાચાર્યો મુજબ આ યોગ ખુબ જ શુભ છે અને 3 રાશિના જાતકોના જીવન પર ખુબ સકારાત્મક અસર પડી શકે છે. 

મેષ રાશિ

2/5
image

મેષ રાશિવાળાને આવકના નવા સ્ત્રોત મળી શકે છે. વેપારમાં વધારો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ થશે. નવા પ્રોજેક્ટ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે. વેપારમાં વિસ્તારના નવા અવસર મળી શકે છે. નવા ગ્રાહકોનો સંપર્ક થશે. નફો વધશે. ઉદ્યોગ ધંધામાં રોકાણ લાભકારક સિદ્ધ થશે. નવી મશીનરી કે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી ઉત્પાદન વધશે. ધનમાં વધારો થશે. તમારા મકાન કે ફ્લેટ સંપત્તિ ખરીદવાના યોગ છે. કૌટુંબિક સંબંધ મજબૂત થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. 

તુલા રાશિ

3/5
image

તુલા રાશિના જાતકો માટે મંગળ-શનિના નવપંચમ યોગથી ધન સંબંધિત સંકટ દૂર થશે. ખર્ચાઓ પર લગામ લાગશે અને આવકમાં પણ અકલ્પનીય વધારો જોવા મળશે. નોકરીમાં પદોન્નતિના યોગ છે. કાર્યક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે. વેપારી મુસાફરીઓ સફળ રહેશે અને વેપારમાં નવી તકો મળશે. ધનમાં વધારો થશે. સંપત્તિમાં રોકાણ કરવા માટે સારી તકો મળશે. રિટેલ વેપારમાં વેચાણ વધશે. નવા સ્ટોર ખોલવા માટે સારી તકો મળશે. રિટેલ વેપારમાં ગ્રાહકો વધશે અને નફો પણ વધશે. જૂના રોકાણથી ફાયદો થશે. કરજથી મુક્તિ મળવાના યોગ છે.   

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિના જાતકો માટે નવપંચમ યોગ આર્થિક રીતે ખુબ જ લાભકારી રહેશે. નોકરીમાં સ્થિરતા આવશે અને પ્રગતિ થશે. પદોન્નતિ કે પગાર વધારો પણ થઈ શકે છે. વેપારમાં વધારો થશે અને નવી ડીલ થશે. નવા પ્રોજેક્ટ્સ મળશે અને તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. પાર્ટનરશીપમાં લાભ થશે અને નવા ગ્રાહકો જોડાશે. ઉદ્યોગ ધંધાઓમાં વધારો થશે અને ઉત્પાદન વધશે. લોટરી કે અન્ય સ્ત્રોતોથી અચાનક લાભ થઈ શકે છે. સંબંધીઓ તરફથી સુખદ સમાચાર મળશે અને સંબંધ મજબૂત  થશે. જૂની બીમારીઓ દૂર થશે અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.