30 વર્ષ બાદ બનશે સૂર્ય-શનિનો દુર્લભ સંયોગ, આ જાતકોના બેંક બેલેન્સમાં થશે અપાર વધારો, દરેક ક્ષેત્રમાં સફળતાનો યોગ

Surya And Shani Conjunction 2025: વૈદિક પંચાગ અનુસાર મીન રાશિમાં સૂર્ય અને શનિ દેવની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
 

સૂર્ય દેવ અને શનિ દેવનો અદ્ભુત સંયોગ

1/5
image

વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાજા સૂર્ય અને કર્મફળ દાતા શનિને પિતા-પુત્ર માનવામાં આવે છે. સાથે સૂર્ય દેવને માન-સન્માન, પ્રતિષ્ઠા, સરકારી નોકરી અને આત્મવિશ્વાસના કારક માનવામાં આવે છે. તો શનિ દેવને ઉંમર, કર્મ, ન્યાય અને શ્રમના કારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 29 માર્ચે શનિ દેવ મીન રાશિમાં ગોચર કરશે અને માર્ચમાં સૂર્ય દેવ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં આ બંને ગ્રહોનો સંયોગ બનશે. મીન રાશિમાં સૂર્ય-શનિનો સંયોગ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. આ જાતકોનો ભાગ્યોદય થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મીન રાશિ

2/5
image

તમારા લોકો માટે સૂર્ય અને શનિની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમે લોકપ્રિય થશો. સાથે સમાજમાં તમને માન-સન્માન પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાની સંભાવના છે. પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ સમયે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. તો સ્વાસ્થ્યમાં સુધાર થશે અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. આ સમયે તમને ભાગીદારીમાં કામ કરવાથી લાભ મળશે.  

મકર રાશિ

3/5
image

સૂર્ય દેવ અને શનિ દેવનો સંયોગ તમારા માટે અનુકૂળ રહેશે. કારણ કે શનિ દેવ રાશિ પરિવર્તન કરતા મકર રાશિના જાતકોને સાડાસાતીમાંથી મુક્તિ અપાવશે. તેથી આ સમયે તમારા માટે આકસ્મિક ધનલાભનો યોગ બનશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ દરમિયાન તમને પરિવારમાંથી સહયોગ મળશે. પિતા તરફથી ખાસ કરીને લાભ મળશે. સાથે તમે નોકરી-ધંધામાં સારી સફળતા મળશે. કાર્યસ્થળ પર પ્રમોશન સાથે પગાર વધારાનો યોગ છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

વૃષભ રાશિ

4/5
image

તમારા લોકો માટે સૂર્ય અને શનિ દેવની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનશે. તેથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે આવકના નવા-નવા માધ્યમ બની શકે છે. કાર્યસ્થળ પર તમારા પ્રયાસોની પ્રશંસા થશ અને વેપારમાં જોરદાર લાભનો યોગ છે. કારોબારીઓને યાત્રાથી લાભ થશે. આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે. તો સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.