ઘટી રહેલા બજારમાં પણ અદાણીનો આ સ્ટોક બન્યો રોકેટ, વિદેશથી અદાણીને મળ્યા સારા સમાચાર
Adani Group Stock: મંગળવારે અને 11 ફેબ્રુઆરીના રોજ ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રુપના આ શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન શેર 4 ટકા વધીને 511.85 રૂપિયા પર પહોંચ્યો. જો કે આજે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, રોકાણકારોના લાખો રૂપિયા શેર માર્કેટમાં ડુબી ગયા છે, તે વચ્ચે અદાણીનો આ શેરમાં રોકેટની સ્પિડે વધી રહ્યો છે.
Adani Group Stock: શેરબજારમાં વેચવાલી વચ્ચે, અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે અને 11 ફ્રેબુઆરીના રોજ અદાણી ગ્રુપીના આ શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ટ્રેડિંગ દરમિયાન શેર 4 ટકા વધીને 511.85 રૂપિયા પર પહોંચવામાં સફળ રહ્યો હતો.
કંપનીના બાંગ્લાદેશ વ્યવસાય સંબંધિત અપડેટને કારણે શેરમાં આ વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જૂનમાં અદાણીના આ શેર 896.75 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ સ્ટોકનો 52-સપ્તાહનો ઉચ્ચતમ સ્તર છે. નવેમ્બર 2024માં, આ સ્ટોક 430.85 રૂપિયા પર હતો. અદાણી ગ્રુપના આ શેરનો 52 અઠવાડિયાનો નીચો ભાવ છે.
બાંગ્લાદેશે અદાણી પાવરને સમગ્ર 1600 મેગાવોટ વીજળી સપ્લાય કરવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાને કારણે અદાણી પાવરના વ્યવસાયને અસર થઈ હતી. બાકી રકમ ન ચૂકવવાને કારણે કંપનીએ વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. ન્યૂઝ એજન્સીના એક અહેવાલમાં જણાવાયું છે કે ઓછી માંગ અને ચુકવણી વિવાદોને કારણે શિયાળા દરમિયાન પુરવઠો અડધો થઈ ગયો હતો.
અહેવાલમાં બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB) ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બોર્ડ બાકી રકમ ચૂકવવા માટે અદાણીને દર મહિને 85 મિલિયન ડોલર ચૂકવી રહ્યું છે. તેણે હવે અદાણી ગ્રુપની કંપનીને બીજા યુનિટમાંથી પુરવઠો ફરી શરૂ કરવા જણાવ્યું છે.
2017 માં, અદાણી ગ્રુપે બાંગ્લાદેશમાં તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાની સરકાર સાથે વીજ પુરવઠા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે 25 વર્ષ માટે હતો. અદાણી પાવર ઝારખંડમાં તેના $2 બિલિયનના પ્લાન્ટમાંથી વીજળી સપ્લાય કરી રહી છે. 800 મેગાવોટ ક્ષમતાના બે યુનિટ ધરાવતો આ પ્લાન્ટ ફક્ત બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરે છે.
તમને જણાવી દઈએ કે મંગળવારે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. અઠવાડિયાના બીજા દિવસે, સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઘટ્યો અને નિફ્ટી પણ 300 પોઈન્ટ ઘટ્યો. આ સતત પાંચમો ટ્રેડિંગ દિવસ છે જ્યારે બજાર વેચાણની સ્થિતિમાં છે.
(આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos