Vastu Tips: ઘરમાં આ 5 જગ્યાએ ન રાખવા જુતા-ચપ્પલ, રાખવાથી વધશે ઝઘડા અને ગરીબી

Vastu Tips: વાસ્તુશાસ્ત્રના નિયમનું જો પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેવી જ રીતે કેટલીક વસ્તુને લઈને જો વાસ્તુના નિયમનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુદોષ લાગે છે અને ઘરમાં રહેતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જુતા-ચપ્પલને લઈને આ નિયમ ધ્યાનમાં રાખવો જોઈએ. ઘરની પાંચ જગ્યા એવી છે જ્યાં ભૂલથી પણ જુતા-ચપ્પલ રાખવા નહીં.

બેડરૂમ 

1/6
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં ક્યારેય જુતા-ચપ્પલ રાખવા નહીં. તેનાથી દાંપત્યજીવનમાં સમસ્યા આવે છે અને પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધે છે. 

તુલસી પાસે 

2/6
image

તુલસી પૂજનીય છોડ છે. તુલસીનો છોડ હોય તેની આસપાસ પણ જુતા-ચપ્પલ રાખવા નહીં. જો તુલસી પાસે જુતા રાખવામાં આવે તો આર્થિક તંગી વધે છે. 

રસોડું 

3/6
image

હિન્દુ ધર્મમાં અગ્નિ અને અન્ન બંનેને પૂજનીય માનવામાં આવે છે. આ બંનેનું સ્થાન ઘરનું રસોડું હોય છે. ઘરના રસોડામાં પણ જુતા-ચપ્પલ રાખવા નહીં અને પહેરવા પણ નહીં. આમ કરવાથી અશુભ પરિણામ ભોગવવા પડે છે.   

ઈશાન ખૂણો 

4/6
image

ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણો માં લક્ષ્મીનુ સ્થાન ગણાય છે. ઘરના ઈશાન ખૂણામાં પણ જોતા ચપ્પલ રાખવા અશુભ સાબિત થાય છે તેનાથી ધનહાની વધવા લાગે છે. 

મુખ્ય દ્વાર 

5/6
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મેન ગેટ પર પણ જુતા ચપ્પલ ઉતારવા નહીં. તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને સમૃદ્ધિ છીનવાઇ જાય છે.

6/6
image