Performed darshan aarti News

રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ CM,Dy.CM જગન્‍નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન આરતી કર્યા
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથની કૃપા આશિષ વરસતા રહે તેવી અપીલ કરી હતી. ગુજરાત  કોરોનાથી ત્વરાએ મુક્ત થાય અને સૌ સ્વસ્થ  રહે તેવી પ્રાર્થના મુખ્યમંત્રીએ પ્રભુના ચરણોમાં કરી હતી. સૌ નાગરિકો ઘરમાં રહીને  દૂરદર્શન અને અન્ય ચેનલો પરથી યાત્રાનું થનારું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ઘરે બેઠા જ ભગવાન ના દર્શન કરે તેવું જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ હતી. 
Jul 11,2021, 19:58 PM IST

Trending news