#MPPoliticalCrisis : કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ભાજપની પહોંચથી બચાવવા જયપુર લઈ જશે

રાજકીય સંકટથી બચવા મધ્યપ્રદેશ સરકાર ભારે મથામણ કરી રહી છે. આજે 11 વાગ્યે જયપુર કોંગ્રેસ ધારાસભ્યોનું વિશેષ વિમાન જયપુર પહોંચશે. જયપુર એરપોર્ટના સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ભોપાલથી ધારાસભ્યોનું વિશેષ વિમાન જયપુર જશે. કોંગ્રેસના 88 અને 4 અપક્ષ ધારાસભ્યોને જયપુર મોકલાશે. ધારાસભ્યોને જયપુરના બ્યૂના વિસ્તા રિસોર્ટમાં રખાય તેવી સંભાવના છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યોને પણ આ જ રિસોર્ટમાં રખાયા હતા. આમેરના કુંડામાં બ્યૂના વિસ્તા રિસોર્ટ આવેલ છે. જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની ટીમે મોરચો સંભાળ્યો છે. હોટલમાં સુરક્ષા વ્યવસ્થાનો વિેશેષ સૂચના અપાઈ છે.

Trending news