જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સામે ઉગ્ર વિરોધ

દિલ્હીના શાહિનબાગ ખાતે હાજરી આપવાની ઘટના જમાલપુરના ધારાસભ્યનો પીછો છોડતી નથી. રવિવારે જમાલપુર ખાડીયા વિધાનસભાના બહેરામપુરાના રહિશોએ ઇમરાન ખેડાવાલાનો વિરોધ કર્યો. બહેરામપુરા નાગરીક સમિતિ દ્વારા બહેરામપુરા પોલીસ ચોકી ખાતે ઇમરાન ખેડાવાલાના વિરૂધ્ધમાં અને સીએએના સમર્થનમાં સુત્રોચાર કરવામાં આવ્યા. નાગરીક સમિતિના અરવિંદ મહેતાના કહેવા પ્રમાણે ઇમરાન ખેડાવાલાએ શાહિનબાગમાં હાજરી આપી પોતાની દલિત વિરોધી માનસિકતા છતી કરી છે અને તેઓ દલિતો માટે કામ કરતા નથી માટે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે.

Trending news