રથયાત્રા સ્પેશિયલ : જુઓ કોમી એકતા અને એખલાસનો આ અનોખો રંગ

અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ રથયાત્રા માં છેલ્લા 50 વર્ષ થી કોમી એકતા અને સામાજીક સમરસતા નો સંદેશ લોકો વચ્ચે લઈ જનારા સિરાજ રંગવાલા 75 વર્ષ ની ઉમર માં પણ ૧૪૨ મી રથયાત્રામાં સામેલ થવા તૈયાર છે. 75 વર્ષના સિરાજ રંગવાલા દાઉદી વ્હોરા મુસ્લિમ સમાજમાંથી આવે છે. સિરાજ રંગવાલા છેલ્લા 50 વર્ષથી નિરંતર રથયાત્રાની સાથે જગન્નાથ મંદિરથી સરસપુર મોસાળ સુધી ચાલીને જ આવે છે અને કોમી એકતા, એખલાસ અને સામજિક સમરસતાનો સંદેશ આપે છે.

Trending news