Gold Price: રૂપિયા રેડી રાખજો! આ દિવસે થઈ શકે છે સોનાના ભાવમાં મોટો ઘટાડો

Akshaya Tritiya 2023: ઊંચા ભાવને કારણે અક્ષય તૃતીયા પર સોનાના વેચાણમાં 20 ટકાનો ઘટાડો થવાની ધારણા, સોનું 60,000ને પાર પહોંચી ચુક્યું છે.

Gold Price: રૂપિયા રેડી રાખજો! આ દિવસે થઈ શકે છે સોનાના ભાવમાં મોટો ઘટાડો

Akshaya Tritiya 2023: શું તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યાં છો? પણ શું તમને પણ સતાવી રહ્યો છે મોંઘવારીનો ડર? લો ઘટી ગયા સોનાનો ભાવ....રૂપિયા રેડી રાખજો, અક્ષય તૃતિયા પર ઉભી થશે સારી તક....છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં થયેલા વધારાની અસર અક્ષય તૃતીયાના તહેવાર પર જ્વેલરીના વેચાણ પર જોવા મળી શકે છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે વેચાણમાં 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના જ્વેલરી વિક્રેતાઓએ વ્યક્ત કરી છે.

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ છે-
અક્ષય તૃતીયાને સોનાના આભૂષણો અને સિક્કા ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાની ક્ષમતા અનુસાર નાના-મોટા ઘરેણાં કે સિક્કા ખરીદવાનો પ્રયાસ કરે છે. પરંતુ છેલ્લા ચાર મહિનામાં સોનાના ભાવમાં થયેલો વધારો આ વખતે તેમને નિરાશ કરી શકે છે.

દેશના મોટાભાગના વિસ્તારોમાં સોનું 60,000થી ઉપર છે-
હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં સોનું 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, લોકો ત્યારે જ સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે જ્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય. તેનાથી અક્ષય તૃતીયા પર મોંઘા દાગીનાની પરંપરાગત ખરીદી પર અસર પડી શકે છે.

આ પણ ખાસ વાંચોઃ  કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું
આ પણ ખાસ વાંચોઃ  સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ
આ પણ ખાસ વાંચોઃ  Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ
​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!

ગ્રાહક ભયભીત-
ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ (જીજેસી)ના ચેરમેન સંયમ મહેરાએ પીટીઆઈ-ભાષા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોનાના ભાવ તાજેતરમાં રૂ. 60,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા બાદ ગ્રાહકોનો મોટો વર્ગ ભયભીત થઈ ગયો છે.

ભાવ ઘટવા છતાં ઊંચા છે-
જો કે, થોડા દિવસોથી ભાવમાં થોડો ઘટાડો થયો છે પરંતુ તે હજુ પણ ઊંચા છે. તેની અસર અક્ષય તૃતીયા પર વેચાણ પર પડશે. અમારું અનુમાન છે કે ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં 20 ટકાનો ઘટાડો થઈ શકે છે. સોનાની વર્તમાન કિંમત 60,280 રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે.

આ પણ ખાસ વાંચોઃ  'ઓફિસ બોલાવી ફાઈનાન્સરે મને...! આ પહેલાં અભિનેતાએ અભિનેત્રીને બતાવ્યું હતું ગુપ્તાંગઆ પણ ખાસ વાંચોઃ  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર
આ પણ ખાસ વાંચોઃ  સુસ્મિતા પર રેપ કરે છે ભૂત! ભયાનક દ્રશ્યો જોતાની સાથે જ તમે પણ તરત પાડી દેશો ચીસ
આ પણ ખાસ વાંચોઃ  રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ

દક્ષિણ ભારતમાં ખરીદી વધુ થાય છે-
અક્ષય તૃતીયાના રોજ કુલ બિઝનેસમાં દક્ષિણ ભારતીય રાજ્યોનો હિસ્સો 40 ટકા છે, જ્યારે પશ્ચિમ ભારતનો હિસ્સો 25 ટકા છે. આ ખરીદીમાં પૂર્વ ભારતનો હિસ્સો 20 ટકા અને ઉત્તર ભારતનો હિસ્સો લગભગ 15 ટકા છે.

સોનાનું વેચાણ ઘટી શકે છે-
GJCના ભૂતપૂર્વ ચેરમેન અને NAC જ્વેલર્સ (ચેન્નઈ)ના મેનેજિંગ ડિરેક્ટર અનંત પદ્મનાભને પણ આવી જ આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે સોનાના ઊંચા ભાવ અક્ષય તૃતીયા પર માંગમાં ઘટાડો કરી શકે છે. જો કે, તેમણે કહ્યું છે કે વેચાણ પર તેની અસર માત્ર 10 ટકા રહેશે.

ભાવ ઘટે તો વેચાણ વધી શકે છે-
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે અક્ષય તૃતીયાના અવસર પર કરોડો ભારતીયોની ઉજવણીમાં સોનું ખરીદવું એ એક આવશ્યક ભાગ છે. આવી સ્થિતિમાં, જો ભાવમાં સારો ઘટાડો થાય છે, તો વેચાણમાં તેજી આવી શકે છે.

PNG જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સૌરભ ગાડગીલ માને છે કે શનિવારે અક્ષય તૃતીયાના તહેવાર સાથે, ખરીદદારોને સપ્તાહના અંતે ખરીદી કરવાની તક મળશે. તેમણે કહ્યું, "જો સોનું રૂ. 60,000 પર સ્થિર રહેશે તો વેચાણમાં 10 ટકાનો વધારો થઈ શકે છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news