Ramayan: ઘરેઘરમાં ફરીથી ગુંજશે "મંગલ ભવન અમંગલ હારી...." ધૂન, રામાયણ સિરીયલ આ ચેનલ પર થશે ટેલીકાસ્ટ

Ramayan: જ્યારે પણ આ શો ટેલિકાસ્ટ કરવામાં આવે છે તો તેની ટીઆરપી પણ સૌથી વધુ જોવા મળે છે. ત્યારે દુરદર્શન પર ફરી એક વખત રામાયણ શો જોવા મળશે. 

Ramayan: ઘરેઘરમાં ફરીથી ગુંજશે "મંગલ ભવન અમંગલ હારી...." ધૂન, રામાયણ સિરીયલ આ ચેનલ પર થશે ટેલીકાસ્ટ

Ramayan: રામાનંદ સાગરની ટીવી સિરીયલ રામાયણનો ક્રેઝ આજે પણ લોકોમાં જોવા મળે છે. આ શોના પાત્ર લોકોના દિલમાં એવા વસી ગયા છે કે તેઓ આજે પણ શ્રદ્ધાપૂર્વ રામાયણ સિરીયલ જોવા ઉત્સાહિત હોય છે. ત્યારે ફરી એક વખત રામાયણ સિરીયલને ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવામાં આવનાર છે. આમ તો આ સિરીયલ ઘણી વખત ટીવી પર આવી ચૂકી છે. પરંતુ તાજેતરમાં જ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી ફરી એક વખત દૂરદર્શને ટીવી સિરીયલ રામાયણને ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે 

રામાનંદ સાગરની રામાયણના એક એક પાત્ર લોકોના હૃદયમાં સ્થાન બનાવી ચૂક્યા છે. ખાસ કરીને રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ, માતા પિતાનું પાત્ર ભજવનાર દીપીકા ચીખલીયા અને લક્ષ્મણનો રોલ કરનાર સુનિલ લહેરી રામ-સીતા અને લક્ષ્મણ તરીકે લોકોના હૃદયમાં સ્થાપિત થઈ ચૂક્યા છે. જ્યારે પણ આ શો ટેલિકાસ્ટ કરવામાં આવે છે તો તેની ટીઆરપી પણ સૌથી વધુ જોવા મળે છે. ત્યારે દુરદર્શન પર ફરી એક વખત રામાયણ શો જોવા મળશે. 

દુરદર્શન દ્વારા એક ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. દૂરદર્શનની ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, " ધર્મ પ્રેમ અને સમર્પણની અદ્રિતીય ગાથા ફરી એકવાર આવી રહી છે..." ભારતનો સૌથી લોકપ્રિય શો રામાયણ ટૂંક સમયમાં ડીડી નેશનલ પર જોવા મળશે. 

 

— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 31, 2024

આ ટ્વીટ સાથે એક ક્લીપ પણ શેર કરવામાં આવી છે જે ખૂબ જ વાયરલ થવા લાગી છે. આ શો ફરીથી જોવા મળશે તે વાતથી લોકો પણ ભારે ઉત્સાહમાં છે. જોકે આ શો કઈ તારીખથી અને કયા સમય પર ટેલીકાસ્ટ થશે તે અંગે હજુ સુધી જાણકારી આપવામાં આવી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news