અમદાવાદઃ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની અસ્થિનું આજે સાબરમતી નદીમાં કરાશે વિસર્જન

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી આ અસ્થિ કળશને લઈને આજે બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે.

 અમદાવાદઃ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની અસ્થિનું આજે સાબરમતી નદીમાં કરાશે વિસર્જન

અમદાવાદઃ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટે નિધન થયું હતું. આજથી તેમની અસ્થિ કળશ યાત્રા દેશભરમાં કાઢવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે રાજ્યોને અટલજીની અસ્થિનો કળશ સોંપશે. અટલ બિહારી વાજયેપીની એસ્થિનો એક કળશ ગુજરાત પણ લાવવામાં આવશે. જેનું સાબરમતિ નદીમાં વિસર્જન કરવામાં આવશે. 

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી આ અસ્થિ કળશને લઈને આજે બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. આ સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલ, મંત્રીમંડળ તથા મહત્વના આગેવાનો હાજર રહીને કળશ પર પુષ્પાંજલિ કરશે. બાદમાં આ અસ્થિ કળશને ગોલવાડ, ખાડીયા ખાતે લઈ જવામાં આવશે. 

ખાડીયાથી અસ્થિ કળશ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા પૂર્ણ થયા બાદ વાજપેયીની અસ્થિઓનું સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવશે. આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોળાવા માટે અપીલ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત, વડોદરા, ભરૂચ, સિદ્ધપુર અને સોમનાથમાં પણ અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news