Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 570 દર્દીઓ નોંધાયા, 3 દર્દીના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 570 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 737 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 3 લોકોના કોરોનાથી મોત થયા છે

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 570 દર્દીઓ નોંધાયા, 3 દર્દીના મોત

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 570 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 737 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 3 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 2,54,314 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 2,43,001 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,357 પર પહોંચ્યો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 570 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 737 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 95.51 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,43,001 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,74,210 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,74,102 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 108 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7,056 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 54 છે. જ્યારે 7,002 લોકો સ્ટેબલ છે. 2,43,001 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,357 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 3 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 સહિત કુલ 3 લોકોનાં મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news