કાજલ હિન્દુસ્તાની સામે રોષે ભરાયો પાટીદાર સમાજ, દીકરીઓ વિશે ન બોલવાનું જાહેરમાં બોલી

Kajal Hindustani Statement On Patidar Samaj : કાજલ હિન્દુસ્તાની સામે નોંધાશે ફરિયાદ,,, પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં કરી હતી વાંધાજનક ટીપ્પણી,,, મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણી મનોજ પનારા નોંધાવશે ફરિયાદ
 

કાજલ હિન્દુસ્તાની સામે રોષે ભરાયો પાટીદાર સમાજ, દીકરીઓ વિશે ન બોલવાનું જાહેરમાં બોલી

Kajal Hindustani Controversy : તેજાબી ભાષણ કરવામાં પ્રખ્યાત કાજલ હિન્દુસ્તાની સામે હવે પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિશે ફરિયાદ દાખલ કરાઈ છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણીએ કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધાયો છે. પાટીદાર સમાજના યુવા આગેવાન અને કોંગ્રેસના આગ્રણી મનોજભાઈ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરી છે. તેમણે કહ્યું કે, જાહેરમાં કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહી માંગે તો હાઇકોર્ટમાં જઈશું. 

કાજલ હિંદુસ્થાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે ગુજરાતભરનો પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની સામે રોષે ભરાયો છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાનો મેદાને આવ્યા છે. કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પનારાએ કાજલ સામે ફરિયાદ દાખલ કરી છે. આ વાયરલ વીડિયો 8 જૂન 2023નો છે. શ્રી ગાધકડા મિત્ર મંડળ સુરતે આયોજિત 39માં સ્નેહમિલન સમારોહનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. 

 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 18, 2024

 

કાજલ હિન્દુસ્તાનીએ શું કહ્યુ હતું
કાજલ હિન્દુસ્તાનીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાયો છે. કાજલ હિન્દુસ્તાની કહે છે કે, 'પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.'

કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં કરેલ પાટીદાર સમાજની દીકરી સામે કરેલ આક્ષેપ મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની પ્રતિક્રીયા આવી છે. તેમણે કહ્યું કે, પાટીદાર આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધવાનાર છે. તેને અમે સપોર્ટ કરીશું. પાટીદાર સમાજ વતી આ વાત અમે વખોડિયે છીએ. કાજલ હિન્દુસ્તાની એ પાટીદાર દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી કરી છે જે યોગ્ય નથી. કાજલ હિન્દુસ્તાનીનો જે જગ્યા કાર્યક્રમ હશે તે જગ્યા પર અમે વિરોધ કરીશું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news