મોરબી: પ્રાચિન રફાળેશ્વર મહાદેવ મંદિરે આજથી બે દિવસીય લોકમેળાનો પ્રારંભ

નજીક આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે આજથી બે દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો છે. જેનું લોકોર્પણ મંદિરના મહંતના હસ્તે જ કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામપંચાયતના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને લોકમેળો માણવા માટે આવેલા લોકોએ પહેલા તો મંદિરના પટાંગણમાં આવેલ પારસ પિપળાને પાણી ચડાવીને પિતૃ તર્પણ કર્યુ હતુ ત્યાર બાદમાં મનભરીનો મેળો માણ્યો હતો. 

મોરબી: પ્રાચિન રફાળેશ્વર મહાદેવ મંદિરે આજથી બે દિવસીય લોકમેળાનો પ્રારંભ

હિમાંશુ ભટ્ટ/મોરબી: નજીક આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે આજથી બે દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો છે. જેનું લોકોર્પણ મંદિરના મહંતના હસ્તે જ કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામપંચાયતના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને લોકમેળો માણવા માટે આવેલા લોકોએ પહેલા તો મંદિરના પટાંગણમાં આવેલ પારસ પિપળાને પાણી ચડાવીને પિતૃ તર્પણ કર્યુ હતુ ત્યાર બાદમાં મનભરીનો મેળો માણ્યો હતો. 

રીપુફાલ નામના રાજાએ તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા બાદમાં રીપુફાલેશ્વેર મહાદેવની સ્થાપના કરી હતી જો કે, સમયાંતરે નામનો અપભ્રંસ થવાથી હાલમાં આ જગ્યા રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતી છે. અને શ્રાવણી અમાસના દિવસે આ મંદિરના પટાંગણમાં આવેલ કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે જેથી ત્યાં સ્નાન કરવાનું અને કુંડની બાજુમાં જ આવેલ પારસ પિપળાને એક લોટો પાણી ચડાવવાથી પિતૃ તર્પણ થાય છે. જેથી પિતૃ તર્પણની સાથો સાથ મેળો માણ્વા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો ત્યાં આવતા હોય છે. દરવર્ષે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિર પાસેના મેદાનમાં લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ લોકમેળામાં ફજત-ફાડક,રમકડા અને ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોકમેળાનું ઉદઘાટન મંદિરના મહંતના હસ્તે જ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય ખેલ દિવસ: આ શહેરના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંઘી ઉજવ્યો ‘બ્લેક ડે’

મોરબીમાં યોજાયેલા મેળાઓ પુરા થયા છે. તો પણ રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા લોકમેળાને માણવા માટે મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો આવે છે. પ્રાચિન મંદિરમાં દેવાધીદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે. દરવર્ષે શ્રાવણ માસમાં છેલ્લો લોકમેળો મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઇ છે. જે જગ્યાનું પિતૃ તર્પણ માટે ખૂબ જ મહત્વ છે જેથી બે દિવસીય મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે અને ભજન, ભોજન તથા મેળાની મૌજ માણતા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગ્રામિણ મેળામાં વરસાદ હોય તો પણ શ્રાવણી અમાસના દિવસે દર વર્ષો લોકો ઉમટી પડે છે કેમ કે, ધાર્મિક રીતે આ મેળાનું ખૂબ જ મહત્વ છે.

ઓનલાઇન હાજરીથી વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો છતા ‘શિક્ષકોનો વિરોધ’

રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાયેલ મેળામાં લોકો આવી શકે તે માટે પાલિકાની સીટી બાદ, એસટીની બસ અને રેલવેની વધારાની ટ્રેન સહિતની ખાસ વધારાની વ્યાવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત વાંકાનેર, મોરબી અને રાજકોટથી મેળામાં આવવા માટે ખાનગી વાહનો પણ આવતી કાલે સવારથી સાંજ સુધી દોડશે અને રાત્રે મેળો બંધ થાય તે પહેલા મોટી સંખ્યામાં લોકો મેળાનો લાભ લેશે અને મેળો માણશે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news