આ યુવકનું જબરું દુર્ભાગ્ય! એક જ મહિનામાં કૂતરાએ ઉપરા છાપરી બનાવ્યો ભોગ, આખરે આવ્યું મોત

સુરતમાં 28 વર્ષીય રાજનને શ્વાને બચકાં ભર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શ્વાને એક મહિનામાં બે વાર રાજનને બચકા ભર્યા હતા. શ્વાનના બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. ત્યારબાદ તેણે સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

આ યુવકનું જબરું દુર્ભાગ્ય! એક જ મહિનામાં કૂતરાએ ઉપરા છાપરી બનાવ્યો ભોગ, આખરે આવ્યું મોત

ઝી ન્યૂઝ/સુરત: રાજ્યમાં દિવસને દિવસે શ્વાનના હુમલાના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાને એકસાથે 3 બાળકો પર હુમલો કર્યો છે. જેમાંથી બે બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. ઓલપાડના કન્યાસી ગામની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં 28 વર્ષીય રાજનને શ્વાને બચકાં ભર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શ્વાને એક મહિનામાં બે વાર રાજનને બચકા ભર્યા હતા. શ્વાનના બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. ત્યારબાદ તેણે સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 

ફેબ્યુઆરીમાં પ્રથમ વાર અને આઠ દિવસ અગાઉ પણ શ્વાને બચકું ભર્યું હોવાની વિગતો સામે આવી છે. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ યુવકની તબિયત વધુ લથડતાં ફરજ પર હાજર તબીબઓએ તેણે મૃત જાહેર કર્યો. હવે યુવકના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવી શકે છે. આ ઘટના બાદ સુરત મનપા ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. 

2022માં સુરત શહેરમાં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા
જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે  જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news