Exit Polls 2022: મણિપુર, ગોવા અને ઉત્તરાખંડનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો ક્યાં કોની બનશે સરકાર

ઉત્તર પ્રદેશમાં આજે સોમવાર એટલે કે 7 માર્ચે મતદાનના છેલ્લા તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયું છે. અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થતાં જ યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના એક્ઝિટ પોલ આવી જશે. આ સાથે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કે કયો પક્ષ કયા રાજ્યમાં સરકાર બનાવી શકે છે. પાંચેય રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. 

Exit Polls 2022: મણિપુર, ગોવા અને ઉત્તરાખંડનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો ક્યાં કોની બનશે સરકાર

Exit Poll 2022 Live Updates: ઉત્તર પ્રદેશમાં આજે સોમવાર એટલે કે 7 માર્ચે મતદાનના છેલ્લા તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયું છે. અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થતાં જ યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના એક્ઝિટ પોલ આવી જશે. આ સાથે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કે કયો પક્ષ કયા રાજ્યમાં સરકાર બનાવી શકે છે. પાંચેય રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. 

એક્ઝિટ પોલ પરથી એ સ્પષ્ટ નથી થઈ શકતું કે ક્યા રાજ્યમાં કયો પક્ષ સરકાર બનાવી રહ્યો છે, પરંતુ અનુમાન ચોક્કસ લગાવી શકાય છે કે ક્યા રાજ્યમાં કયો પક્ષ સત્તામાં આવે તેવી શક્યતા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવી હતી. તો બીજી તરફ પંજાબમાં કોંગ્રેસે સરકાર બનાવી હતી. ચાલો તમને એક્ઝિટ પોલના નવીનતમ અપડેટ્સ જણાવીએ...

યુપીની તમામ 403 બેઠકોનો એક્ઝિટ પોલ, કોને કેટલી બેઠકો મળવાનું અનુમાન

BJP+ને 223-248 સીટો મળી શકે છે
SP+ ના ખાતામાં 138-157 સીટો આવી શકે છે
BSP 5-11 સીટો જીતે તેવી આશા છે
કોંગ્રેસને 4-9 સીટો પર સફળતા મળી શકે છે
અન્યના ખાતામાં 3-5 બેઠકો મળવાનું અનુમાન છે.

EXIT POLL મુજબ યુપીમાં કયા ગઠબંધનને કેટલો વોટ શેર મળ્યો?
BJP+ ને 39 ટકા વોટ મળી શકે છે

SP+ના ખાતામાં 34 ટકા વોટ મળી શકે છે
બસપાને 13 ટકા વોટ મળવાની આશા છે
કોંગ્રેસને 6 ટકા મત મળવાનું અનુમાન છે
અન્ય પક્ષો અને અપક્ષોના ખાતામાં 8 ટકા મતોનું અનુમાન છે.

યુપીમાં સાતમા તબક્કામાં 54 બેઠકોનો એક્ઝિટ પોલ

સાતમા તબક્કામાં 7 માર્ચે 9 જિલ્લાની 54 બેઠકો માટે મતદાન થયું હતું. આ તમામ બેઠકો પૂર્વાંચલમાંથી આવે છે.

BJP+ ને 23 થી 27 સીટો મળી શકે છે
SP+ના ખાતામાં 22 થી 26 સીટો આવી શકે છે
બસપાને 1 થી 3 સીટો મળવાની આશા છે
કોંગ્રેસને 1 થી 2 સીટો પર સફળતા મળી શકે છે
અન્યના ખાતામાં 1 થી 3 બેઠકો આવવાનું અનુમાન છે.

યુપીમાં છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો માટે એક્ઝિટ પોલ

ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 3 માર્ચે 57 બેઠકો પર મતદાન થયું હતું.

BJP+ને 30-34 સીટો મળી શકે છે
SP+ના ખાતામાં 19-22 સીટો આવી શકે છે
બસપાને 1 થી 3 સીટો મળવાની આશા છે
કોંગ્રેસને 1-3 સીટો પર પણ સફળતા મળી શકે છે.
અન્યનું ખાતું ખુલી રહ્યું નથી

યુપીમાં પાંચમા તબક્કામાં 61 બેઠકો માટે એક્ઝિટ પોલ

યુપી ચૂંટણીના પાંચમા રાઉન્ડમાં 27 ફેબ્રુઆરીએ 61 બેઠકો પર મતદાન થયું હતું. તેમાંથી અવધ ક્ષેત્રમાં 59 અને બુંદેલખંડમાં 2 બેઠકો હતી.

BJP+ને 36-40 સીટો મળી શકે છે
SP+ના ખાતામાં 18-20 સીટો આવી શકે છે
BSP ખાતું ખોલી રહ્યું નથી 
કોંગ્રેસને 1 થી 3 સીટો પર સફળતા મળી શકે છે
અન્યના ખાતામાં પણ 1 થી 3 બેઠકોનું અનુમાન છે.

યુપીમાં ચોથા તબક્કામાં 59 બેઠકો માટે એક્ઝિટ પોલ

યુપીમાં ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ 59 બેઠકો માટે મતદાન થયું હતું.

BJP+ને 41-45 સીટો મળી શકે છે
SP+ના ખાતામાં 14-16 સીટો આવી શકે છે
બસપાને 1-2 બેઠકો મળવાની આશા છે
કોંગ્રેસનું ખાતું ખૂલી રહ્યું નથી 
અન્યના ખાતામાં પણ સીટ આવતી નથી

યુપીમાં ત્રીજા તબક્કામાં 59 બેઠકો માટે એક્ઝિટ પોલ

યુપીના ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીએ 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થયું હતું.

BJP+ ને 38-42 સીટો મળી શકે છે
SP+ ના ખાતામાં 17-19 સીટો આવી શકે છે
બસપાને શૂન્ય બેઠકો મળી રહી છે
કોંગ્રેસને 1-2 સીટો પર સફળતા મળી શકે છે
અન્યનું ખાતું ખૂલતું જોવા મળી રહ્યું નથી

યુપીમાં બીજા તબક્કામાં 55 બેઠકોનો એક્ઝિટ પોલ

યુપીમાં બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ 55 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની 34 અને રોહિલખંડ પ્રદેશની 21 બેઠકોનો સમાવેશ થાય છે.

BJP+ ને 21 થી 23 સીટો મળી શકે છે
SP+ ના ખાતામાં 29 થી 33 સીટો આવી શકે છે
બસપાને 1 થી 2 બેઠકો મળવાની આશા છે
કોંગ્રેસને શૂન્ય બેઠકો મળી રહી છે
અન્યના ખાતામાં પણ સીટ આવતી નથી

યુપીમાં પ્રથમ તબક્કાની 58 બેઠકોનો એક્ઝિટ પોલ

યુપીમાં આ વખતે 7 રાઉન્ડમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરીએ 58 બેઠકો પર મતદાન થયું હતું.

- BJP+ ને 34 થી 38 સીટો મળી શકે છે
- SP+ ના ખાતામાં 19 થી 21 સીટો આવી શકે છે
- BSP ને 1 થી 2 બેઠકો મળવાની આશા છે
- કોંગ્રેસને શૂન્ય બેઠક
- અન્યને પણ કોઈ સીટ નથી મળી રહી

ઉત્તર પ્રદેશની 403 સીટો પર સૌથી મોટો EXIT POLL, જાણો કોણ જીતી રહ્યું છે?
અત્યાર સુધી અમે પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડના એક્ઝિટ પોલના પરિણામોની માહિતી આપી છે. અમારા એક્ઝિટ પોલમાં અમે ચારેય રાજ્યોની તસવીર દર્શાવી હતી. એક્ઝિટ પોલના પરિણામોથી જણાવવામાં આવ્યું હતું કે 10 માર્ચે ચાર રાજ્યોની તસવીર કેવી છે. અને હવે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો રાજકીય વારો છે. શું યુપીમાં ખીલશે ભાજપનું કમળ? કે આ વખતે સમાજવાદી પાર્ટીનું ચક્ર ચાલશે. મોદી-યોગી જોડીનો જાદુ ચાલુ રહેશે કે પછી યુપીના બે છોકરાઓ અખિલેશ યાદવ અને જયંત ચૌધરીની જોડી ઉલટફેર કરવાની. શું પ્રિયંકા ગાંધીની મહેનત કોંગ્રેસને ICUમાંથી બહાર કાઢશે કે પછી સાઇલેંટ વોટરના દમ પર માયાવતીનો હાથી ફરી હુંકાર ભરશે.

PUNJAB EXIT POLL: એક્ઝિટ પોલ મુજબ પંજાબમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે

પંજાબમાં AAP બનાવી શકે છે સરકાર, જાણો કઈ પાર્ટીને મળી રહી છે કેટલી સીટો
- કોંગ્રેસને 26-33 બેઠકો મળી શકે છે
- શિરોમણી અકાલી દળ ગઠબંધનને 24-32 બેઠકો મળી શકે છે
- આમ આદમી પાર્ટીને 52-61 બેઠકો મળવાની સંભાવના છે
- ભાજપ ગઠબંધનને 3-7 બેઠકો મળવાની શક્યતા છે
-અન્યના ભાગે 1-2 બેઠકો આવી શકે છે
એટલે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે.

પંજાબમાં કઇ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે
- કોંગ્રેસને 25 ટકા વોટ શેર મળવાની સંભાવના છે
- શિરોમણી અકાલી દળ ગઠબંધનને 24 ટકા વોટ શેર મળવાની શક્યતા છે
- આમ આદમી પાર્ટીને 39 ટકા વોટ શેર મળવાની સંભાવના છે
- ભાજપ ગઠબંધનને 06 ટકા વોટ શેર મળવાની સંભાવના છે
- અન્ય ભાગમાં 06 ટકા વોટ શેર આવી શકે છે

પંજાબમાં 2017 માં કઇ પાર્ટીને કેટલી સીટો મળી હતી
પંજાબ-  (2017)  ....            117 સીટ

CONG                                 77
શિરોમણી અકાલી દળ            15
ભાજપ                                 03
આમ આદમી પાર્ટી                20
અન્ય                                  02

માલવામાં 69 બેઠકો પર તમામ પક્ષો પર AAP ભારે, બની શકે છે સૌથી મોટી પાર્ટી 

કોંગ્રેસ 12-16
શિરોમણી અકાલી દળ ગઠબંધન 10-14
આમ આદમી પાર્ટી 38-42
ભાજપ ગઠબંધન 2-5
અન્ય 1-2

પંજાબના દોઆબામાં કઈ પાર્ટીને મળી રહી છે કેટલી સીટો

કોંગ્રેસને 9-10 બેઠકો
શિરોમણી અકાલી દળ ગઠબંધનને 8-10 બેઠકો
આમ આદમી પાર્ટી માટે 3-5 બેઠકો
ભાજપ ગઠબંધન માટે 1-2 બેઠકો
અન્યને એકપણ બેઠક નહી

દોઆબા EXIT POLL: કુલ 23 સીટ પર જોવા મળી રહ્યો છે કોંગ્રેસનો દબદબો 
માઝાની કુલ 25 સીટો પર કોણ આગળ અને કોણ પાછળ?
કોંગ્રેસ માટે 5-7 બેઠકો
SAD+ ને 5-8 બેઠકો
આમ આદમી પાર્ટીને 11-14 બેઠકો
ભાજપ ગઠબંધનને કોઈ બેઠક નહીં
અન્યને બેઠક નહી

ત્રણ રીઝનમાં પંજાબનો એક્ઝિટ પોલ
No description available.
પંજાબ 3 રીઝનમાં વહેંચાયેલું છે અને અમે અમારા એક્ઝિટ પોલને પણ આ ત્રણ રીઝનમાં વહેંચ્યા છે. આ ત્રણ પ્રદેશો માંઝા, દોઆબ અને માલવા છે. પંજાબની ઓવરઓલ સીટ પરના એક્ઝિટ પોલના પરિણામો જણાવતા પહેલા આ ત્રણેય રીઝનમાં એક્ઝિટ પોલનું ચિત્ર શું છે. તેઓ દર્શાવે છે. 

પંજાબમાં ચોતરફી મુકાબલો
પંજાબમાં સ્પર્ધા દ્વિપક્ષીય નહીં પરંતુ ચોતરફી છે. કોંગ્રેસ સામે સરકાર બચાવવાનો પડકાર છે. સાથે જ આમ આદમી પાર્ટીનો દાવો છે કે આ વખતે તેમની સરકાર બનશે. ભાજપ અને કેપ્ટન અમરિન્દરનું ગઠબંધન કોઈ મોટો દાવો કરી રહ્યું નથી પરંતુ તેમની અવગણના કરી શકાય નહીં. તો બીજી તરફ બીજેપીને છોડીને આવેલા શિરોમણિ અકાલી દળ પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે. એકંદરે દરેક પાર્ટી પોતાની જીતના દાવા કરી રહી છે. પરંતુ સવાલ એ પણ છે કે જે સતત ચર્ચામાં રહે છે. સવાલ એ છે કે ચૂંટણી દરમિયાન પક્ષની અંદર મચેલા ઘમાસાણથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે? શું ચન્ની પર કોંગ્રેસનો દાવ સફળ રહેશે? શું ભગવંત માનને સીએમ ચહેરો બનાવવાનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે?

ઉત્તરાખંડમાં કઇ પાર્ટીને કેટલી બેઠકો મળવાની સંભાવના
No description available.
ભાજપને 26-30 બેઠકો મળી શકે છે
કોંગ્રેસને 35-40 બેઠકો મળી શકે છે
બહુજન સમાજ પાર્ટીને 2-3 બેઠકો મળી શકે છે
જ્યારે અન્યને 1 થી 3 બેઠકો મળતી જણાય છે.
આમ આદમી પાર્ટીનું ખાતું ખોલવાની શક્યતાઓ નહિવત્ છે

ઉત્તરાખંડમાં કોંગ્રેસને મળી શકે છે બહુમત
-ભાજપને 26-30 સીટો મળી શકે છે
-ઉત્તરાખંડમાં BSP માટે 2-3 બેઠકોનો અંદાજ
એટલે કે ઉત્તરાખંડમાં ભાજપને સીધું નુકસાન થઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે.

ઉત્તરાખંડમાં એક્ઝિટ પોલ મુજબ કઈ પાર્ટીને કેટલો વોટ શેર?
ઉત્તરાખંડમાં ભાજપને 35% વોટ શેર મળી શકે છે
ઉત્તરાખંડમાં કોંગ્રેસને 39 ટકા વોટ શેર મળી શકે છે
આમ આદમી પાર્ટીને 09 ટકા વોટ શેર મળી શકે છે
બસપાને 08 ટકા વોટ શેર મળી શકે છે
જ્યારે અન્યના ભાગે 09 ટકા વોટ શેર મળવાની શક્યતા છે.

ગોવામાં કઇ પાર્ટીને કેટલી બેઠકો મળવાની સંભાવના છે?
No description available.
ભાજપને 13-18 બેઠકો મળી શકે છે
કોંગ્રેસ+ને 14-19 બેઠકો મળવાની સંભાવના છે
મહારાષ્ટ્ર ગોમંતક પાર્ટી એટલે કે એમજીપીને 2-5 બેઠકો મળવાની શક્યતા છે.
આમ આદમી પાર્ટીને 1-3 સીટો મળી શકે છે
જ્યારે અન્યને 1-3 બેઠકો મળવાની શક્યતા છે.

ગોવામાં 2017 વાળી તસવીર રિપીટ થતી જોવા મળી રહી છે
- ત્યારે પણ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી
- પરંતુ બીજેપી અન્ય પક્ષોની મદદથી સરકાર બનાવવામાં સફળ રહી હતી.

ગોવામાં કોઈને બહુમત મળતો દેખાઇ રહ્યો નથી
કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે
-કોંગ્રેસ+ને 14-19 બેઠકો મળી શકે છે
- જો કે ભાજપ પણ પાછળ દેખાતું નથી.
-ભાજપને 13-18 સીટો મળી શકે છે

મણિપુરમાં કઈ પાર્ટીને મળી શકે છે કેટલી સીટો
No description available.
મણિપુરમાં ભાજપ સરકાર બનાવી શકે છે. મણિપુરમાં ભાજપને 32-38 બેઠકોની આશા છે. બીજી તરફ, CONG+ને 12-17 બેઠકો મળી શકે છે.

મણિપુરમાં બીજેપીને 39 ટકા વોટ મળવાનો અંદાજ, જાણો કઈ પાર્ટીને મળી શકે છે કેટલો વોટ શેર 
મણિપુરમાં ભાજપને 39 ટકા મત મળવાનો અંદાજ
મણિપુરમાં કોંગ્રેસને 30 ટકા મત મળવાનો અંદાજ
મણિપુરમાં અન્યને 16 ટકા મત મળવાનો અંદાજ
મણિપુરમાં NPF ને 9 ટકા મત મળવાનો અંદાજ
મણિપુરમાં NPP ને 6 ટકા મત મળવાનો અંદાજ

સૌથી પહેલા મણિપુર, ગોવા અને ઉત્તરાખંડના EXIT POLL બતાવીશું
હાલમાં આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે. એવામાં સવાલ એ છે કે શું આ ત્રણ રાજ્યોમાં ભાજપ પોતાની સત્તા બચાવી શકશે કે કોંગ્રેસ પલટવાર કરીને સત્તાના શિખરે પહોંચશે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપનો મુખ્ય પડકાર કોંગ્રેસ છે. આ ત્રણ રાજ્યો પછી અમે તમને પંજાબની 117 સીટોનો EXIT POLL બતાવીશું. અહીં કોંગ્રેસ સામે પોતાની સરકાર બચાવવાનો પડકાર છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીનો દાવો છે કે આ વખતે તે કોંગ્રેસને સત્તા પરથી હટાવીને સરકાર બનાવશે. સાથે જ શિરોમણી અકાલી દળ પણ પોતાની જીતનો દાવો કરી રહ્યું છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ અને ભાજપનું ગઠબંધન પણ ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે.
Exit Polls 2022 Live Updates: યૂપી લઇને મણિપુર સુધી કોની બનશે સરકાર, થોડીવારમાં જુઓ એક્ઝિટ પોલના પરિણામો
EXIT POLL અને પરિણામ કેટલા અલગ?
EXIT POLL ને પરિણામો સાથે કોઈ સંબંધ નથી. ચૂંટણી પંચ સત્તાવાર રીતે પરિણામોની જાહેરાત કરે છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો જ અંતિમ હોય છે.

કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એક્ઝિટ પોલ?
તમને જણાવી દઈએ કે મતદાન મથકની બહાર આવતા મતદારોને પૂછવામાં આવે છે કે તેઓએ કોને મત આપ્યો છે અને તેમના અભિપ્રાયના આધારે EXIT POLL તૈયાર કરવામાં આવે છે. મતદાન મથકની બહાર નીકળતી વખતે મતદારને મતદાન સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવે છે, તેથી જ તેને EXIT POLL કહેવામાં આવે છે.


EXIT POLL શું ખબર પડે છે?
એવું માનવામાં આવે છે કે મતદાર મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર નીકળતી વખતે મતદાર સાચું બોલે છે અને આ કારણોસર EXIT POLL સચોટ હોવાની શક્યતાઓ વધારે છે. મતદાન મથકની બહાર આવતા મતદારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવે છે.

એક્ઝિટ પોલ કોણ કરાવે છે?
EXIT POLL ખાનગી સર્વે કંપનીઓ અને મીડિયા સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. સરકારી એજન્સીઓ આવી કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેતી નથી.

EXIT POLL શું છે?
દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે એક્ઝિટ પોલ શું છે અને તે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તો અમે તમને જણાવી દઈએ કે મતદાન મથકની બહાર આવતા મતદારોને પૂછવામાં આવે છે કે તેઓએ કોને મત આપ્યો છે અને તેમના અભિપ્રાયના આધારે EXIT POLL તૈયાર કરવામાં આવે છે. મતદાન મથકની બહાર નીકળતી વખતે મતદારને મતદાન સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવે છે, તેથી જ તેને EXIT POLL કહેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news