Papaya Bad Combination: પપૈયા સાથે ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ખાશો તો પસ્તાશો

Papaya Bad Combination: પપૈયું ખાવું શરીર માટે ફાયદાકારક છે, પરંતુ કેટલીક વસ્તુઓની સાથે તેને ભૂલથી પણ ન ખાવું જોઈએ. ચાલો તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ, જેની સાથે પપૈયાનું કોમ્બિનેશન ખતરનાક સાબિત થઈ શકે છે.

Papaya Bad Combination: પપૈયા સાથે ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ખાશો તો પસ્તાશો

Papaya Bad Combination: ફળ ખાવાનું કોને પસંદ નથી. ફળ ખાવાથી આપણા શરીરને જરૂરી પોષણ તો મળે જ છે સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પરંતુ કેટલાક લોકો ફળો સાથે વિવિધ કોમ્બિનેશન ટ્રાય કરે છે. તેઓ એ વાતથી બેખબર છે કે કેટલાક ફળો એવા હોય છે કે જેને અન્ય ખાદ્યપદાર્થો સાથે લેવામાં આવે તો તે ઘણું નુકસાન કરી શકે છે.

આવું જ એક ફળ છે પપૈયું, જેને કેટલીક વસ્તુઓ સાથે ન જોડવું જોઈએ. પપૈયું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. આનાથી પેટ સારું રહે છે, ત્વચામાં ચમક આવે છે. આ સિવાય પણ ઘણા ફાયદા છે. આવી સ્થિતિમાં અમે તમને એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું જેની સાથે તમારે પપૈયું ક્યારેય ન ખાવું જોઈએ.

સંતરાઃ સંતરાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. નારંગી ખાવું શરીર માટે પણ ફાયદાકારક છે. પરંતુ તમારે પપૈયુ અને સંતરા ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. આમ કરવાથી ઝાડા, કબજિયાત અને અપચો જેવી બીમારીઓ થઈ શકે છે.

No description available.
કારેલા: પપૈયું ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે. પરંતુ કારેલા તેનાથી વિપરીત કામ કરે છે, તે શરીરમાંથી પાણી શોષી લે છે. એટલા માટે પપૈયું અને કારેલાને એકસાથે ન ખાવા જોઈએ, કારણ કે આ બંને એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. 

લીંબુ: પપૈયાની ચાટ બનાવવી ખૂબ જ લોકપ્રિય બની છે. લોકો તેનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુ પણ નાંખે છે. પરંતુ આમ કરવાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

દહીંઃ પપૈયા સાથે દહી બિલકુલ ન ખાવું જોઈએ, કારણ કે પપૈયુ ગરમ હોય છે ત્યાં દહીં ઠંડું હોય છે. આ જ કારણ છે કે બંનેનું એકસાથે સેવન કરવું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો કે, પપૈયું અને દહીં થોડા કલાકોના અંતરે ખાઈ શકાય છે.

દૂધ: શરીરને દૂધમાંથી કેલ્શિયમ મળે છે, જે હાડકાં માટે જરૂરી છે. પરંતુ જો તમે પપૈયા સાથે દૂધ પીવાનું શરૂ કરો છો, તો તમને કબજિયાત અને ઝાડા થઈ શકે છે. પેટમાં ખેંચાણની સમસ્યા પણ જોવા મળે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો
ગરમીમાં કિસમિસનું સેવન શરીર માટે ફાયદાકારક, એકવાર જાણી લો...
Daily Horoscope: મંગળવારે આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીના આશીર્વાદ, આજે થશે ધન લાભ
ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોનો મોટો નિર્ણય, જાણી લો કાલથી 2000ની નોટ ચાલશે કે નહીં?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news