નવરાત્રિમાં ટેન્શન કરાવતી અંબાલાલ પટેલની આગાહી, આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદ

Ambalal Patel Prediction : આજથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અંબાલાલ પટેલે આજથી વરસાદની આગાહીકરી છે. હવે વરસાદ નહિ રોકાય. કારણ કે, 17 તારીખે બંગાળની ખાડીમાં એક વાવાઝોડા જેવી સિસ્ટમ બનવાની છે, જેથી ફરી એકવાર વરસાદ જોવા મળશે. તેથી આજથી નવરાત્રિના નોરતામાં વરસાદની આગાહી છે. જાણો કયા જિલ્લાવાળાની નવરાત્રિ બગડશે. 

હવામાન વિભાગની આગાહી 

1/4
image

હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતવાસીઓ  બેવડી ઋતુ સહન કરવા તૈયાર થઈ જાઓ. વરસાદની શક્યતા નહિવત પરંતુ બેવડી ઋતુની અસર રહેશે. ગુજરાતમાં 7 દિવઆ ડ્રાય વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિત 35 થી 36 ડિગ્રી તાપમાન નોધાઈ  શકે છે. આગામી દિવસમાં તાપમાનનો પારો વધી શકે છે.

નવરાત્રિના આ દિવસોમાં આવશે વરસાદ 

2/4
image

અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે.

વાવાઝોડું ગુજરાતથી ક્યાં પસાર થશે 

3/4
image

આગાહીકારે કહ્યું કે, 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.

બંગાળની ખાડીથી ફરી તોફાન ઉઠશે

4/4
image

તેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં  ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે.