શું ફરી ગુજરાતમાં વરસાદ છોતરાં પાડશે? આ જિલ્લાઓ માટે અંબાલાલની ગાજવીજવાળી આગાહી

Ambalal Patel Prediction: ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું કે, આજથી ગુરુવારથી વરસાદ ઘટી જશે. ૨૯ સુધી સૂકું હવામાન રહેશે. ગુજરાતમાં આવતીકાલે બુધવારથી વરસાદ ઓછો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ ૨૯ ઓક્ટોબર સુધી સૂકા હવામાનની આગાહી કરી છે.  

1/10
image

બંગાળની ખાડીમાં ઉઠેલું મહાતોફાન દાના હવે તબાહી તરફ આગળ વધી રહ્યું છે. આ રાજ્ય ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં તો વિનાશ વેરશે જ, સાથે જ અનેક રાજ્યોને ધમરોળશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની કેવી, કેટલી અને ક્યાં ક્યાં અસર થશે તેની માહિતી આપી છે.

2/10
image

ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. બેવડી ઋતુની અસર વર્તાશે અને તાપમાનમાં 3 ડિગ્રી વધારો થશે તેવી હવામાન વિભાગે ચેતવણી  આપી છે. જેનું કારણ છે દાના વાવાઝોડું! આગામી 24 કલાકમાં 120 કિમીની ઝડપે ચક્રવાતી તોફાન દાનાની એન્ટ્રી થશે. જેમાં 6 ફૂટથી વધુ મોજાં ઉછળશે. હવામાન વિભાગે ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જારી કર્યું છે. ચક્રવાત 'દાના' 24 કલાકમાં વધુ નજીક આવશે ત્યારે વધુ તબાહી અને વિનાશ વેરશે. આ કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળશે. ભારે વરસાદ થશે. જ્યાં વાવાઝોડું ટકરાશે ત્યાં 120 કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. 

3/10
image

ચક્રવાતી વાવાઝોડું 'દાના' 24 કલાકની અંદર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી રહ્યું છે. 'દાના' 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી વિનાશ વેરશે, જેના કારણે બે રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારોએ ચક્રવાત 'દાના'નો સામનો કરવા માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત 'દાના'ને લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાંથી ચક્રવાતી તોફાન 'દાના' 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 

4/10
image

24મી ઑકટોબરની સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને પછી 24મીની રાતથી 25મીએ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પુરી અને સાગર દ્વીપ વચ્ચે ટકરાશે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 100-110 કિમી પ્રતિ કલાકથી 120 કિમી પ્રતિ કલાકની વચ્ચે રહેશે. 24 અને 25 ઓકટોબરે ઓડિશાના બલેશ્વર, મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર કેઓઝર, જાજપુર, કટક, ઢેંકનાલ, ખોરડા અને પુરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતી તોફાનની અસર દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, હાવડા, હુગલી, કોલકાતા અને ગંગા કાંઠાના પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાઓમાં પણ આગામી બે દિવસ સુધી જોવા મળશે. જેના કારણે ઝારખંડમાં પણ ભારે વરસાદ પડશે.

5/10
image

IMDએ દરિયામાં ભારે ભરતીની ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 1.0 થી 2.0 મીટર એટલે કે (3 થી 6 6 ફૂટથી ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. ઉચ્ચ ભરતીના કારણે, કેન્દ્રપારા, ભદ્રક, જગતસિંહપુર, ઓડિશાના બાલાસોર અને પશ્ચિમ બંગાળના દક્ષિણ 24-પરગણા જિલ્લાના પૂર્વ મેદિનીપુરમાં ભૂસ્ખલન સાથે પાણી ભરાઈ જવાની સંભાવના છે હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું છે. 23 થી 25 ઓકટોબર સુધી મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં માછીમારી સંપૂર્ણપણે સ્થગિત રહેશે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયાકિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. જો કે, દાનની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. જ્યાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

6/10
image

આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતનો બહારનો ભાગ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયો છે. ચક્રવાતી તોફાનના કારણે ઓડિશાથી લઈને પશ્ચિમ બંગાળ સુધી તબાહી મચવાની આશંકા છે. આ વાવાઝોડાની અસર ઓડિશાથી લઈને બંગાળ, બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે. ઓડિશામાં 24 થી 25 ઓક્ટોબર સુધી ચક્રવાત દાનાને લઈને દરેક જગ્યાએ તકેદારી વધારી દેવામાં આવી છે. 

7/10
image

ઓડિશા અને બંગાળમાં તોફાનથી બચવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ઓડિશામાં NDRFની 288 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ લગાવીને 14 જિલ્લાના 10 લાખ લોકોને સુરક્ષિત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે. 120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત 'દાના'. ઓડિશાના પુરી અને બંગાળના સાગર દીપપુંજની વચ્ચેના  દરિયાકિનારા સાથે ટકરાશે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ લગાવાયો છે. તો ઓડિશા અને બંગાળ સરકારે એલર્ટ જાહેર કર્યું છે.

8/10
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળ ઉપસાગરમાં દાના વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. બંગાળ ઉપસાગરમાં આજે દાના વાવાઝોડું ટકરાશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળશે. વાવાઝોડાને લઈને 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આહવા, વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં દાના વાવાઝોડાની અસર જોવા મળશે. તો સાથે જ ગુજરાતના સરહદી ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.

9/10
image

ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે. 

10/10
image

અંબાલાલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતાક હ્યું કે, એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે.