8મા પગાર પંચને લઈને સૌથી મોટું અપડેટ; જાણો સરકારી કર્મચારીઓને ક્યારે મળશે વધારેલો પગાર?

Central Govt Employees: કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેલરી અને પેન્શનર્સની પેન્શનમાં વધારાને ધ્યાનમં રાખીને સરકારે આઠમા પગાર પંચની મંજૂરી આપી દીધી છે. હવે તેની રચના ક્યારે થશે અને તે ક્યારે અમલમાં આવશે, ચાલો તમામ માહિતી.

1/7
image

8th Pay Commission Update: જો તમે એક સરકારી કર્મચારી છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. સંસદમાં સામાન્ય બજેટની રજૂઆતના થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો એ જાણવા આતુર બન્યા છે કે નવું પગાર પંચ ક્યારે બનશે.

શું કરશે 8મા વેતન આયોગ?

2/7
image

આઠમા વેતન આયોગ કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સની સેલરી, ભથ્થા અને અન્ય સુવિધાઓને લઈને સમીક્ષા કરશે. તેનાથી વેતનમાં સંભવિત વધારો થઈ શકે છે. તેનો ફાયદો કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે. અમુક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા વેતન આયોગ ફિટમેન્ટ ફેક્ટર 2.57ના આધારે વેતન વધારાની ભલામણ કરી શકે છે.

વર્ષ 2026-27ના બજેટમાં જોવા મળશે નાણાકીય અસર

3/7
image

આઠમા પગાર પંચ અંગે જણાવતા એક્સપેન્ડીચર સેક્રેટરી મનોજ ગોવિલે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ 2025-26 (નાણાકીય વર્ષ 2025-26)માં પગાર પંચની કોઈ નાણાકીય અસર થશે નહીં. તેમણે કહ્યું છે કે 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં પગાર પંચને કારણે સરકાર પર કોઈ વધારાનો નાણાકીય બોજ નહીં આવે. કમિશનની રચના બાદ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં સમય લાગશે, જેના પર સરકાર દ્વારા પ્રક્રિયા કરવાની રહેશે. તેથી નાણાકીય અસર વર્ષ 2026-27ના બજેટમાં જોવા મળશે.

આયોગની રચના ક્યારે થશે?

4/7
image

મનોજ ગોવિલના જણાવ્યા અનુસાર આઠમા પગાર પંચની રચના આગામી બે મહિનામાં એટલે કે એપ્રિલ 2025 સુધીમાં થઈ શકે છે. એના માટે હોમ મિનિસ્ટ્રી, સંરક્ષણ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) પાસેથી મંતવ્યો માંગવામાં આવ્યા છે. આ વિભાગો પાસેથી સૂચનો મેળવ્યા પછી કમિશનના કાર્યનો વિસ્તાર (Terms of Reference - TOR)  નક્કી કરવામાં આવશે અને કેબિનેટ પાસેથી મંજૂરી લેવામાં આવશે.

દર 10 વર્ષમાં નવું પગારપંચ

5/7
image

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય પગાર પંચની રચના દર 10 વર્ષમાં એકવાર થાય છે. તેનો હેતુ કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરવાનો છે. આ માટે મોંઘવારી દર, આર્થિક સ્થિતિ અને સરકારી નાણાકીય સ્થિતિ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

7મા પગાર પંચની રચના ક્યારે થઈ?

6/7
image

અગાઉ તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન 28 ફેબ્રુઆરી 2014ના રોજ 7માં પગાર પંચની રચના કરવામાં આવી હતી. કમિશને તેનો અહેવાલ 19 નવેમ્બર 2015ના રોજ સુપરત કર્યો હતો, જે 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યો હતો.  

સરકારી કર્મચારીઓની શું છે આશાઓ?

7/7
image

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે 8મા પગાર પંચ દ્વારા તેમના પગાર અને અન્ય ભથ્થાઓમાં સુધારો થશે. જો કમિશન એપ્રિલ 2025 સુધીમાં રચાય છે, તો નવું પગાર માળખું 2026-27માં લાગુ થવાની સંભાવના છે.