343 વર્ષ જુનો છે આ કિલ્લો, જેની સામે અંગ્રેજોની તોપના ગોળા પણ હતા ફેલ!

Jhansi Fort: ઝાંસી એક ઐતિહાસિક શહેર છે. આ શહેરનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ઝાંસી કી રાની અને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની રોચક કહાની યાદ આવે છે. કહાની જેણે સ્વતંત્ર ભારતનો પાયો નાખ્યો. જેણે દેશમાં બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા હતા. બુંદેલખંડના પ્રવેશદ્વાર તરીકે ગણવામાં આવતા આ શહેર પોતાનામાં એક અદ્ભુત ઈતિહાસ ધરાવે છે, જેને દરેક પ્રવાસી પોતાની આંખોથી એકવાર જોવાનું પસંદ કરશે. આજે અમે વાત કરી રહ્યા છે 343 વર્ષ જૂના કિલ્લોની, જેની સામે અંગ્રેજોના તોપના ગોળા પણ નિષ્ફળ ગયા હતા!

ભારતની સંસ્કૃતિ અને સામ્રાજ્ય

1/6
image

ભારત તેના મહાન સામ્રાજ્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ભારતનો ઈતિહાસ ખૂબ જ વિશાળ છે. ભારતમાં ઘણા કિલ્લાઓ છે જે પોતાની કહાની કહે છે. અહીં પર અમે રાહી લક્ષ્મીબાઈના કિલ્લા વિશે વાત કરી રહ્યા છે. જે તેની બહાદુરી અને સંસ્કૃતિનું પ્રતિક છે. ઝાંસીનો કિલ્લો સ્વતંત્રતા સંગ્રામનો સાક્ષી રહ્યો છે.

કિલ્લાનો ઇતિહાસ

2/6
image

ઝાંસીના કિલ્લાને રાણી લક્ષ્મીબાઈનો કિલ્લો પણ કહેવામાં આવે છે. આ કિલ્લો ઉત્તરપ્રદેશના ઝાંસીમાં આવેલો છે. આ કિલ્લો 17મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લોનું નિર્માણ દુશ્મનોથી બચાવા અને નગરની સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું. આ કિલ્લા પર અંગ્રેજોએ તોપથી ગોળા વરસાવ્યા હતા.

ગ્રેનાઈટ

3/6
image

કિલ્લાની દિવાલો ગ્રેનાઈટથી બનાવવામાં આવી છે. દિવાલોની ઊંચાઈ અંદાજે 16 ફૂટથી 20 ફૂટ છે. આ કિલ્લાનું નિર્માણ કેરળના બેકાલ કિલ્લાની જેમ દરિયાની સપાટી પર બનેલો છે. આ કિલ્લો લગભગ 15 એકરમાં ફેલાયેલો છે. આ કિલ્લાની લંબાઈ અંદાજે 312 મીટર અને પહોળાઈ 225 મીટર છે.

કિલ્લો

4/6
image

આ કિલ્લાની નજીકમાં જ એક મોટો ડેમ છે જે પાણીની અછતને પૂરી કરતો હતો. કિલ્લાની અંદર એક ખાસ મહેલ છે જે રાણી મહેલ તરીકે ઓળખાય છે. આ મહેલમાં રાણી લક્ષ્મીબાઈ રહેતી હતી. દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઝાંસીમાં તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં ઘણી મોટી હસ્તીઓ નાટકો કરે છે. આ એકદમ લોકપ્રિય છે.

કિલ્લાની ઉંમર

5/6
image

આ કિલ્લો 17મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો એટલો જૂનો છે કે તેની ઉંમરનો યોગ્ય અંદાજ લગાવી શકાતો નથી. વૈજ્ઞાનિકોના મતે આ કિલ્લાની ઉંમર લગભગ 343 વર્ષ છે. આ ખૂબ જ ઐતિહાસિક સ્થળ છે.

ઝાંસી

6/6
image

ઝાંસીનો કિલ્લો ખૂબ જ સુંદર અને ઈતિહાસનું પ્રતિક છે. આ કિલ્લો આજે પ્રવાસન સ્થળ બની ગયો છે. ઝાંસીના કિલ્લાની મુલાકાત લેવી એટલે ભારતીય ઈતિહાસ સમજવો.