ટીમ ઈન્ડિયાની જર્સી પર 'પાકિસ્તાન'...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત સેનાનો નવો લૂક
Champions Trophy India Jersey : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી 17 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી. BCCIએ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ અને અન્ય ખેલાડીઓની તસવીરો શેર કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે.
Champions Trophy India Jersey : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી 17 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી. BCCIએ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ અને અન્ય ખેલાડીઓની તસવીરો શેર કરી છે.
દરેકનું ધ્યાન નવી જર્સી પર ચેમ્પિયન્સ ટ્રોફીના લોગો પર હતું. તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા ભારતીય ટીમે જર્સી પર પાકિસ્તાનનું નામ લખ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ICC એવોર્ડ અને ટીમ કેપ ઓફ ધ યર મેળવનાર ભારતીય ખેલાડીઓની તસવીરો શેર કરી છે.
તસવીરોમાં ખેલાડીઓ ટૂર્નામેન્ટ માટે તેમની નવી જર્સી પહેરેલા જોવા મળ્યા હતા. ટૂર્નામેન્ટનો લોગો અને તેમાં યજમાન પાકિસ્તાનનું નામ લખેલું હતું. એવી અટકળો હતી કે ટુર્નામેન્ટના સત્તાવાર લોગોના ભાગરૂપે ભારતની જર્સીમાં પાકિસ્તાનનું નામ નહીં હોય.
જો કે, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પહેલા જ કહ્યું હતું કે ભારતીય ટીમ ICCની માર્ગદર્શિકાનું પાલન કરશે. તાજેતરના સમયમાં આ પહેલીવાર છે જ્યારે ભારતની જર્સી પર પાકિસ્તાનનું નામ છપાયું છે. પાકિસ્તાન એશિયા કપ 2023નું યજમાન પણ હતું, પરંતુ તેનું નામ કોઈ ટીમની જર્સી પર નહોતું.
રોહિત શર્માને ICC એવોર્ડ્સમાં ICC ODI ટીમ ઓફ ધ યરમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જાડેજાને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહને ICC T20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અર્શદીપને સૌથી ટૂંકા ફોર્મેટમાં T20 ક્રિકેટર ઓફ ધ યરનું પ્રતિષ્ઠિત સન્માન પણ આપવામાં આવ્યું હતું.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતને પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાાદેશ સામે રમશે. ત્યાર બાદ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમાશે.
Trending Photos