IPL FINAL: શું રિઝર્વ-ડે પર સ્ટેડિયમમાં એન્ટ્રી માટે આજે ફરી લેવી પડશે મોંઘી ટિકિટ?

CSK vs GT, IPL FINAL: ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે, IPL-2023 ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત Titans (CSK vs GT) વચ્ચે રવિવાર, 28 મેના રોજ યોજાઈ શકી નથી. હવે આ ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'રિઝર્વ ડે' એટલે કે સોમવારે રમાશે.

IPL FINAL: શું રિઝર્વ-ડે પર સ્ટેડિયમમાં એન્ટ્રી માટે આજે ફરી લેવી પડશે મોંઘી ટિકિટ?

Chennai Super Kings vs Gujarat Titans, IPL 2023 Final: આજે ફરી એકવાર અમદાવાદના આંગણે જામશે ચાહકોનો જમાવડો. આજે ફરી એકવાર સ્ટેડિયમની અંદર અને સ્ટેડિયમની બહાર ગૂંજશે ધોની-ધોના નારા. ગઈકાલે રવિવારે વરસાદને કારણે મેચ રદ્દ કરાઈ હતી. આજે તેના માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ત્યારે મોટા ભાગના ચાહકોના મનમાં એક જ સવાલ છેકે, શું આજે સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે ચાહકોએ ફરી એકવાર મોંઘી ફી ખર્ચીને ફરી ટિકિટ લેવી પડશે?

ઉલ્લેખનીય છેકે, ચાર વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT) વચ્ચે IPL (IPL-2023)ની 16મી સિઝનની ફાઇનલ મેચ 28 મેના રોજ યોજાઈ શકી ન હતી. વરસાદ અને પ્રતિકૂળ હવામાને ચાહકોને નિરાશ કર્યા, જેઓ અમદાવાદના આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટું પગલું ભર્યું છે.

હવે ચેમ્પિયનનો નિર્ણય રિઝર્વ ડે પર થશે-
ભારે વરસાદને કારણે, 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL-2023ની ફાઇનલ મેચ થઈ શકી ન હતી. હવે આ ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 'રિઝર્વ ડે' એટલે કે સોમવારે રમાશે. આ જાહેરાત સ્થાનિક સમય અનુસાર રાત્રે 10.55 વાગ્યે કરવામાં આવી હતી.

75 હજારથી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા-
હવામાન વિભાગે રવિવારે વરસાદની આગાહી કરી હતી. આમ છતાં 75 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓ નિરાશ થયા. ટોસના સમયના અડધા કલાક પહેલા એટલે કે 6.30ની આસપાસ વરસાદ શરૂ થયો હતો અને તે પછીના કેટલાક કલાકો સુધી તૂટક તૂટક ચાલુ રહ્યો હતો. જ્યારે રાત્રે 9 વાગ્યે વરસાદ બંધ થયો, ત્યારે કવર દૂર કરવામાં આવ્યા હતા જ્યારે બે સુપર સોપર્સ પણ 8.30 થી કામ કરી રહ્યા હતા. આ પછી, ભારે વરસાદના કારણે, ગ્રાઉન્ડ્સમેનોએ ફરીથી કવર નાખવું પડ્યું અને વોર્મ-અપ માટે ગયેલા ખેલાડીઓને બહાર જવું પડ્યું.

આ નિયમો છે-
આઉટફિલ્ડના જે ભાગોમાં કવર ન હતું ત્યાં ઘણું પાણી એકઠું થયું હતું. વરસાદ બંધ થયા બાદ પણ તેને સૂકવવામાં એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. IPLના નિયમો અનુસાર, જો મેચ કટ-ઓફ સમયે એટલે કે 12:06 વાગ્યે શરૂ ન થાય, તો ફાઈનલ માટે રિઝર્વ ડે છે. જો કટઓફ સમયની અંદર શરૂ કરવામાં આવે તો ટીમ દીઠ 5-5 ઓવરની મેચ હોત.

બીસીસીઆઈએ માહિતી આપી-
BCCIએ રિઝર્વ ડે પર આયોજિત મેચ અંગે માહિતી આપી હતી. રવિવારે રાત્રે બોર્ડ તરફથી મળેલા આ ઈમેલમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે પણ દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા, તેઓએ તેમની ટિકિટ સુરક્ષિત રાખવી પડશે અને તેમને રિઝર્વ-ડે પર એ જ ટિકિટ સાથે પ્રવેશ મળશે. મતલબ કે રિઝર્વ ડે માટે અલગથી ટિકિટ લેવાની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં, જેની પાસે ફાઇનલ મેચની ટિકિટ હશે, તેને તે જ ટિકિટ સાથે રિઝર્વ-ડે માટે સ્ટેડિયમમાં પ્રવેશ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news