હાર્વર્ડના વિજ્ઞાનીઓનો દાવો - વૃદ્ધાવસ્થાને યુવાનીમાં ફેરવવા માટે રાસાયણિક મિશ્રણ મળ્યું, ઉંદર અને વાંદરા પર સફળ પ્રયોગ

હાર્વર્ડના વૈજ્ઞાનિકોએ એક દવાના કોટકેટ (મિશ્રણ) ની શોધ કરી છે, જેમાં એક ગોળીમાં મિક્સ કરી શકાય છે, જે ઉંમરને રિવર્સ એટલે કે પલટાવી શકે છે. ન્યૂયોર્ક પોસ્ટનો રિપોર્ટ આ વાત પર પ્રકાશ પાડે છે. 12 જુલાઈએ જર્નલ Aging નામથી પ્રકાશિત એક સ્ટડી "Chemically induced reprogramming to reverse cellular aging" જેનો અર્થ છે કે રસાયણિક રિપ્રોગ્રામિંગ દ્વારા કોશિકાત્મક વૃદ્ધાવસ્થાને ઉલટી કરવા વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે. 

હાર્વર્ડના વિજ્ઞાનીઓનો દાવો - વૃદ્ધાવસ્થાને યુવાનીમાં ફેરવવા માટે રાસાયણિક મિશ્રણ મળ્યું, ઉંદર અને વાંદરા પર સફળ પ્રયોગ

ન્યૂયોર્કઃ વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં પહોંચવાની કોઈની ઈચ્છા હોતી નથી. વૃદ્ધ થવાની યયાતિની રહાની મનુષ્યો પર સંપૂર્ણ રીતે બંધબેસે છે. યયાતિ રાજા પુરુના પિતા હતા. પુરુ જેનો વંશ આગળ વધીને ભીષ્મ સુધી પહોંચ્યો. રાજા શુક્રએ યયાતિને વૃદ્ધ થવાનો શ્રાપ આપ્યો હતો. પરંતુ 100 વર્ષ થયા પછી પણ તેઓ યમરાજ સાથે જવા માટે રાજી ન થયા. યમરાજે તેની સામે એક શરત મૂકી કે જો તે તેના કોઈપણ પુત્રની યુવાની લઈ લે તો તે ફરીથી યુવાન થઈ શકે છે. યયાતિના બધા પુત્રોએ તેમ કરવાની ના પાડી, તો તેના નાના પુત્ર પુરુએ તેની યુવાની તેને દાનમાં આપી દીધી.

વાર્તાની વાસ્તવિકતા ભલે ગમે તે હોય, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આપણે કાયમ યુવાન રહેવા માંગીએ છીએ. તેથી જ હેર કલરિંગથી લઈને બોટોક્સ સુધી, અને નવીન ટેક્નોલોજીથી લઈને ઓક્સિજન થેરાપી સુધીની દરેક વસ્તુ યુવાન રહેવાની ઈચ્છાને જાળવી રાખવાનો એક માર્ગ છે. હવે, આ ઇચ્છાને ધ્યાનમાં રાખીને, હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક દવા કોકટેલ (મિશ્રણ) શોધી કાઢ્યું છે, જેને ગોળીમાં ભેળવી શકાય છે, જે ઉંમરને પલટાવી શકે છે. ન્યૂયોર્ક પોસ્ટનો અહેવાલ આના પર પ્રકાશ ફેંકે છે. 'કેમિકલ ઇન્ડ્યુસ્ડ રિપ્રોગ્રામિંગ ટુ રિવર્સ સેલ્યુલર એજિંગ' નામનો અભ્યાસ 12 જુલાઈના રોજ જર્નલ એજિંગમાં પ્રકાશિત થયો હતો.

રિસર્ચરોની ટીમે એવા છ સરાયણોના મિશ્રણની શોધ કરી છે
તેનો અર્થ છે કે રસાયણિક રિપ્રોગ્રામિંગ દ્વારા કોશિકાત્મક વૃદ્ધાવસ્થાને ઉલટી કરવા વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે. સંશોધકોની ટીમે તેવા છ રસાયણોના મિશ્રણની શોધ કરી છે, જે મનુષ્યો અને ઉંદરોની ત્વચાની કોશિકાઓની ઉંમર વધવાની પ્રક્રિયાને ઘણા વર્ષો પાછળ લઈ જઈ શકે છે. હાર્વર્ડના રિસર્ચર ડેવિડ સિંક્લેયરે ટ્વિટર થ્રેડમાં લખ્યું- 'અમે અગાઉ જોયું છે કે કેવી રીતે જનીન ઉપચારનો ઉપયોગ કરીને વૃદ્ધાવસ્થાને ઉલટાવી શકાય છે, જેમાં ગર્ભના જનીનો સક્રિય થાય છે. હવે અમને જાણવા મળ્યું છે કે આ પ્રક્રિયા રાસાયણિક કોકટેલથી પણ શક્ય છે, જે શરીરના સંપૂર્ણ કાયાકલ્પ તરફ એક પગલું છે, મુખ્ય વસ્તુ એ છે કે આ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ નહીં હોય.

ઉંદરો અને વાંદરાઓ પર મિશ્રણના ટ્રાયલમાં તેની ઉંદર ઘટતી જોવા મળી
ધ્યાન આપવા જેવી વાત છે કે દરેક રાસાયણિક મિશ્રમાં 5થી 7 એજેન્ટ્સ હોય છે, જે શારીરિક અને માનસિક વિકારોનો ઉપચાર કરવા માટે જાણીતા છે. સિંક્લેયરે જણાવ્યું કે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં તેમણે અને તેમની ટીમે 3 વર્ષ કરતા વધુ સમય લગાવી આવા મોલેક્યુલ્સ શોધવાનું કામ કર્યું છે. જે સેલ્યુલર વૃદ્ધત્વને ઉલટાવી શકે છે અને માનવ કોષોને પુનર્જીવિત કરી શકે છે. પોતાના ટ્વીટમાં સિંકલેરે લખ્યું, 'ઓપ્ટિક નર્વ, મગજની પેશીઓ, કિડની અને સ્નાયુઓ પર કરવામાં આવેલા અભ્યાસના પરિણામો આશા જગાડે છે. ઉંદરો પરના પ્રયોગોમાં, તેમના જીવનકાળમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આ વર્ષે એપ્રિલમાં, વાંદરાઓમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જ્યાં સુધી માનવીઓનો સવાલ છે, તેમની ઉંમરને ઉલટાવી દેવા માટે જીન થેરાપીના પ્રથમ અજમાયશની તૈયારીઓ ચાલી રહી છે અને તે આવતા વર્ષના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news