દયાબેન આવશે કે કાયમ માટે જશે? આ રહ્યો સાચો જવાબ

બાળકીના જન્મ પછી ઘણા સમયથી દિશા વાકાણી બ્રેક પર છે

દયાબેન આવશે કે કાયમ માટે જશે? આ રહ્યો સાચો જવાબ

નવી દિલ્હી : સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો લાંબા સમયથી દયાબેન પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે BollywoodLife.comના રિપોર્ટ પ્રમાણે દિશા વાકાણી હવે કદાચ ટીવીના પડદે પાછી નહીં ફરે. આ મામલે જ્યારે વાત કરવા માટે જ્યારે પ્રોડ્યુસર આસિત મોદીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ પણ સ્પષ્ટતા કરવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે આ મામલે હજી વાતચીત ચાલી રહી છે. પોર્ટલ દ્વારા જ્યારે દિશાની ભાઈ હેમાલી વાકાણીનો સંપર્ક કરવામાં આ્યો ત્યારે તેણે કહ્યું હતું કે આ અત્યંત અંગત બાબત છે. આમ, દિશા સિરિયલમાં રહેશે કે જશે એ મામલે કોકડું હજી ગુંચવાયેલું છે. 

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ ભજવતી દિશા વાકાણી ટૂંક સમયમાં કમબેક કરવાની છે પણ એવું થયું નહોતું. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે દિશા વાકાણીના પતિ મયુર પડિયા નથી ઈચ્છતા કે તે હાલમાં ફરી સ્ક્રીન પર આવે. આ સંજોગોમાં દયા અને જેઠાની જોડીને હાલમાં સાથે જોવાના ચાહકોના ચાન્સ પર પાણી ફરી વળ્યું છે.

ચર્ચા પ્રમાણે દિશા શોમાં પાછી આવવા માગે છે. તે શોમાં પાછી ફરે તેના માટેની તૈયારી પણ કરી લેવાઈ હતી. દિશાએ પોતાની એન્ટ્રીનો પ્રોમો પણ શૂટ કરાવી લીધો હતો, પણ તેના પતિ આ વાતથી ખુશ નહોતા. તેમના પતિ ઈચ્છે છે કે દિશાના હાલમાં દીકરી સ્તુતીના ઉછેરમાં ધ્યાન આપે કારણ કે દીકરી બહુ નાની છે. 

દિશાએ 24 નવેમ્બર, 2015ના દિવસે મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા અને 30 નવેમ્બર, 2017એ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા ત્યારથી પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી અને શોમાં જોવા નથી મળી રહી. શોમાં તેની કોસ્ટાર્સ સિવાય તેમના ફેન્સ તેની કમબેકની રાહ જોઈ રહ્યા છે. દિશાએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં તારક મહેતા.. શો માટે અંતિમ વખત શૂટ કર્યું હતું. હવે જ્યારે કમબેકની ગણતરી ચાલી રહી હતી ત્યારે તેણે કાયમ માટે શોને અલવિદા કરી દેવાનું નક્કી કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news