Taarak Mehta ના દયાભાભી ફરી પાછા આવે છે? એમની સંપત્તિ જાણીને તમે ચોંકી જશો! જાણો શેનો બિઝનેસ કરે છે

Taarak Mehta ના દયાભાભી ફરી પાછા આવે છે? એમની સંપત્તિ જાણીને તમે ચોંકી જશો! જાણો શેનો બિઝનેસ કરે છે

નવી દિલ્હીઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak maheta ka ooltah chashmah) છેલ્લા 13 વર્ષથી તમામ લોકોના ચહેરા પર ખુશીઓ લાવે છે. વર્ષોથી આ શોઝના દરેક કલાકારે દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યું છે.દયા એટલે કે દિશા વાકાણી ભલે હાલ સિરીયલમાં નથી આવતી પરંતુ તેની લોકપ્રિયતામાં ફરક પડ્યો નથી. દિશા વાકાણી મેટરનીટી લીવ બાદ શોમાં પાછી ફરી નથી.
દયા રિઅલ લાઈફમાં કરોડોની સંપતિની માલિક-
એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટમાં તેની સંપતિ વિશે ખુલાસો કરવામાં આવ્યો. દિશા વાકાણીની સંપતિ કરોડો રૂપિયામાં છે. દિશા વાકાણી જ્યારે શોમાં હતી ત્યારે તેણે તગડી ફી લીધી હતી. સિરીયલના પ્રતિ એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા અને વર્ષ 2017માં દર મહિને 20 લાખ રૂપિયાની રકમ લીધી હતી. ત્યારબાદ જાહેરાતો અને બ્રાન્ડ એન્ડ્રોસમેન્ટથી પણ દિશાની આવક વધી. હાલની તારીખમાં અભિનેત્રીની સંપતિ 5 મિલિયન એટલે કે 37 કરોડ રૂપિયા છે. દિશા BMW પ્રિમીયમ ઓટોમોબાઈલ જેવી કિમતી કાર ચલાવે છે.
ફિલ્મોમાં પણ કર્યું છે કામ-
દિશા વાકાણીએ સિરીયલની ઉપરાંત બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિશાએ દેવદાસ, મંગલ પાંડે- ધ રાઈઝિંગ, જોધા અકબર, સી કંપની, લવ સ્ટોરી-2050 સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. દિશાએ ખીચડી, હીરો ભક્તિ હી શક્તિ, આહત અને અન્ય ટેલિવિઝન શોઝમાં પણ કામ કર્યું છે.
વર્ષ 2015માં કર્યા હતા લગ્ન-
દિશા વાકાણીને થિયેટરમાં કામ કરવાનો બહોળો અનુભવ છે. વર્ષ 2015માં મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. નવેમ્બર 2017માં તેને પોતાની દીકરીને જન્મ આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news