ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈ અને પિતા જ કરતા હતા દિકરીઓની દલાલી, હવે સ્થિતિ બદલાઈ

ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા. વર્ષો સુધી આ ગામ એજ ગંદા ધંધાના ખદબદતું રહ્યું. 

ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈ અને પિતા જ કરતા હતા દિકરીઓની દલાલી, હવે સ્થિતિ બદલાઈ

ઝી બ્યૂરો, અમદાવાદઃ અહીં વાત થઈ રહી છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાડિયા ગામની. એક એવું ગામ જે એક સમયે દેહવ્યાપર માટે દેશ અને દુનિયાભરમાં બદનામ હતું. થોડા સમય પહેલાં જ વાડિયાની મહીલાઓ પણ અંબાજી મંદિર માં દર્શન કરી પ્રભાવિત થઈ હતી, સાથે સામુહિક સંકલ્પ પણ કર્યો હતો કે અમે કાયમી ધોરણે દેહ વ્યાપાર કરીશું નહીં અને નવી રોજગારી શરૂ કરીશું અગરબત્તી બનાવીશું.

અગરબત્તી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું. હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોએ દતક લીધેલા છે. ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી છે.

સમગ્ર ગુજરાતમાં એક એવું બનાસકાંઠાનુ વાડિયા ગામ જે દેહ વ્યાપારથી કલંકિત હતું અને જેનું દુષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું. જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા. પરંતુ થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમને એક સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં જે વાડિયા ગામ છે તે આ બદી કાયમી ધોરણે બંધ થાય.

ગામમાંથી આ કલંક દુર કરવા માટે માટે તેમને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા એનજીઓ દ્વારા સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવુ જીવન શરૂ કરવા માટે સખીમંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી તેમને આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી અને તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવું જીવન શરૂ કરશે.

જ્યાં ભાઈ અને પિતા જ બનાવે છે દિકરીને વેશ્યા-
આમ તો ગુજરાત આર્થિક વિકસિત, સંસ્કારી અને સમૃદ્ધ ગણાય છે. સ્ત્રીઓને સન્માન અને એમના માટે શહીદ થનારના કિસ્સા પણ ઘણા છે પરંતુ ગુજરાતમાં એક ગામ એવું પણ છે કે ત્યાં દેહ વ્યાપાર એક પરંપરા બની ગઈ છે. જ્યાં છોકરીઓના પરિવારજનો જ એમાં પિતા અને ભાઈ પણ પોતાના ઘરની સ્ત્રીઓને દેહ વ્યાપારમાં ધકેલે છે અને પોતે દલાલ બની જતા હતાં. બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ ગામનું નામ વાડિયા છે. પાલનપુર અને થરોદ હાઈવે પર આવેલ આ વાડિયા ગામમાં છોકરી જુવાન થાય એટલે તેના પરિવારજનોએ તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દઈ તેની પાસે શરીરની નુમાઈશ કરાવાય છે. આ ગામના લોકો માટે આ એક પરંપરા બની ગઈ છે. ૧૨ વર્ષની યુવતીઓને પણ આ વ્યવસાયમાં નાખી દેવામાં આવતી હતી.

આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ
​આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ગામમાં કોઈ ઘરમાં નથી બનતું જમવાનું, કેમ એક પણ ઘરે નથી સળગતો ચૂલો?
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ગામમાં કુતરા પણ છે કરોડપતિ! અહીં કુતરાઓના નામે છે કરોડોની રોડ ટચ જમીન
આ પણ ખાસ વાંચોઃ   સોનાની દિવાલો, પર્સનલ પાર્લામેન્ટ, એરપોર્ટ ખોલે તો નવાઈ નહીં! ગુજરાતનું અનોખું ગામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news