GUJARAT CORONA UPDATE: 632 નવા કેસ, 384 રિકવર થયા, એક પણ મોત નહી

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 632 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 384 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,18,426 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.85 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 48,047 ડોઝ અપાઇ ચુક્યાં છે. 
GUJARAT CORONA UPDATE: 632 નવા કેસ, 384 રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 632 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 384 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,18,426 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.85 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 48,047 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કુલ 3289 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર  છે. 3283 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,18,426 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે કુલ 10,947 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે વલસાડમાં એક નાગરિકનું મોત થયું હતું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 258, સુરત કોર્પોરેશનમાં 85, વડોદરા કોર્પોરેશનમાં 42, વલસાડમાં 33, મહેસાણા 30, ગાંધીનગર કોર્પોરેશનમાં 32,નવસારીમાં 18, સુરતમાં 18, કચ્છમાં 14, રાજકોટ કોર્પોરેશનમાં 14, ગાંધીનગર-પાટણમાં 11, ભઆવનગર કોર્પોરેશનમાં 8, દેવભુમિ દ્વારકા-રાજકોટમાં 7, સાબરકાંઠામાં 6, ભરૂચમાં 5, અમદાવાદ, આણંદ, જામનગર કોર્પોરેશન, મોરબી અને વડોદરામાં 4-4, અમરેલી, ભાવનગર, ખેડા અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા હતા. બનાસકાંઠા, દાહોદ, ગીરસોમનાથ, પંચમહાલ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો હતો. આ પ્રકારે કુલ 632 કેસ નોંધાયા હતા. 

બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1712 ને રસીનો પ્રથમ, 10294 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 750 ને રસીનો પ્રથમ તથા, 3929 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 20166 ને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 5147 ને રસીનો પ્રથમ અને 6049 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 48,047 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,14,80,896 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news