પહેલા તળાવે બોલાવી શાંતિથી જમાડી, પછી ઠંડા કલેજે હત્યા! વલસાડમાં પ્રેમીનું પાપ આ રીતે છાપરે ચડીને પોકાર્યું

યુવતીની હત્યા નીપજાવી અને લાશને સગે વગે કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસે ગણતરીના સમયમાં જ યુવતીની હત્યા મામલે બે આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે જે હકીકત બહાર આવી છે તે જાણીને ખુદ પોલીસ ચોકી ગઈ હતી.

પહેલા તળાવે બોલાવી શાંતિથી જમાડી, પછી ઠંડા કલેજે હત્યા! વલસાડમાં પ્રેમીનું પાપ આ રીતે છાપરે ચડીને પોકાર્યું

નિલેશ જોશી/સેલવાસ: વલસાડ જિલ્લાના ભીલાડના તળાવમાંથી એક યુવતીની શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. તળાવમાં થાંભલા સાથે બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહ ની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની હત્યા નીપજાવી અને લાશને સગે વગે કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસે ગણતરીના સમયમાં જ યુવતીની હત્યા મામલે બે આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે જે હકીકત બહાર આવી છે તે જાણીને ખુદ પોલીસ ચોકી ગઈ હતી.

વલસાડના ભીલાડના તળાવમાં થોડા દિવસ અગાઉ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ને દુપટ્ટા વડે થાંભલા સાથે બાંધી અને તળાવમાં ફેંકી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું સ્થાનિક લોકોએ તળાવ માં મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણતા જ ભીલાડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. જોકે મૃતકના શરીર પર ઈજાના નિશાન અને થાંભલા સાથે બાંધેલી હોવાથી તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું માની પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. 

જો કે શરૂઆતમાં મૃતક ની કોઈ ઓળખ થઈ શકે ન હતી .પરંતુ વલસાડ પોલીસે મામલાને ગંભીરતાથી લઈ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસ અને મહારાષ્ટ્રની પોલીસનો પણ સંપર્ક કરી અને મૃતક યુવતી અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસની આ તપાસમાં મૃતક યુવતીના મળેલા કપડાં અને તેને પહેરેલા ઘરેણા બાદ તેની ઓળખમાં સફળતા મળી હતી. 

પોલીસની તપાસમાં બહાર આવ્યું કે મૃતક યુવતી મંજુલા વારલી વાપી નજીક આવેલા મોટી તંબાડી ગામની રહેવાસી હતી. જે ઘરેથી ગુમ હતી .અને ભીલાડના તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો .આથી પોલીસે મૃતક ની હત્યા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ભીલાડ ના પલાડપાડા ના અજય પટેલ અને ઉત્તમ વારલી નામના બે યુવકોની અટકાયત કરી તેમને પૂછપરછ કરી હતી. પોલીસની આગવી ઢબે પૂછપરછ માં આરોપીઓએ પોતે કરેલો ગુનો કબુલ કર્યો હતો અને અજય પટેલ અને ઉત્તમ વારલીએ જ મૃતક મંજુલા ની હત્યા નીપજાવી તેની લાશને સગે વગે કરવા થાંભલા સાથે બાંધી અને તળાવમાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું.

યુવતી ની હત્યા મામલે ઝડપાયેલા આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા અત્યારનું કારણ પણ બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક મંજુલા વારલી અને અજય પટેલ બંને એકબીજાથી પરિચિત હતા. મૃતક સેલવાસની એક શાળામાં સફાઈ કર્મી તરીકે કામ કરતી હતી. અજય અને મંજુલા વચ્ચે મિત્રતા થઈ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમી હતી.જોકે છેલ્લા કેટલાક સમયથી મંજુલા અજયને લગ્ન કરવા માટે દબાણ કરી હતી. 

આથી મંજુલાનો પીછો છોડાવવા માટે પ્રેમી અજયે મંજુલાને ભીલાડના તળાવ નજીક બોલાવી હતી. જ્યાં બંને સાથે જમ્યા હતા અને જમ્યા બાદ અજયે તેની હત્યા નિપજાવી દીધી હતી. બાદમાં તેના મિત્ર ઉત્તમ વારલીને ઘટના સ્થળે બોલાવી અને આ લાશને સગે વગે કરવા માટે મૃતદેહને દુપટ્ટાથી સિમેન્ટના થાંભલા સાથે બાંધી તળાવમાં ફેંકી દીધો હતો. જોકે પાપ છાપરે ચડીને પોકાર્યું અને મૃતદેહ બહાર દેખાતા જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. અને પોલીસે આ મામલે તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. 

આમ પ્રેમીએ લગ્ન માટે દબાણ કરતી પ્રેમિકાથી પીછો છોડાવવા માટે હત્યા કરી નાખી હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news