Coronavirus: ભારતની પ્રથમ કોવિડ-19 દર્દીને ફરી થયો કોરોના, અધિકારીઓએ કહ્યું- ચિંતાની વાત નથી

દેશમાં પાછલા વર્ષે જાન્યુઆરીમાં કેરલની એક મેડિકલ વિદ્યાર્થિનીને કોરોના થયો હતો. તે દેશની પ્રથમ કોરોના સંક્રમિત વ્યક્તિ હતી. તે ફરી પોઝિટિવ આવી છે. 

Coronavirus: ભારતની પ્રથમ કોવિડ-19 દર્દીને ફરી થયો કોરોના, અધિકારીઓએ કહ્યું- ચિંતાની વાત નથી

નવી દિલ્હીઃ દેશની પ્રથમ કોરોના દર્દીને બીજીવાર સંક્રમણ થયું છે. દેશમાં પ્રથમ કોવિડ કેસ એક મેડિકલ વિદ્યાર્થિનીનો હતો, જે પાછલા વર્ષે જાન્યુઆરીમાં ચીનના વુહાનથી પોતાના ગૃહનગર ત્રિશૂર આવી હતી. મંગળવારના રિપોર્ટ પ્રમાણે દોઢ વર્ષ બાદ તે ફરી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. 

ત્રિશૂરના ડીએમઓ ડો. કેજે રીનાએ જણાવ્યું, તેનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ છે, જ્યારે એન્ટીજન નેગેટિવ. તેને લક્ષણો વગરનું સંક્રમણ થયું છે. ચિકિત્સા અધિકારીઓ અનુસાર તે દિલ્હીની હવાઈ યાત્રા કરવા ઈચ્છતી હતી અને તેના માટે તેનો કોવિડ ટેસ્ટ થયો. ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. 

— Press Trust of India (@PTI_News) July 13, 2021

સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી કારણ કે ઓછા લક્ષણ છે. વુહાનથી પરત ફર્યા બાદ તે ફરી ગઈ નથી અને પોતાના ઘરથી ઓનલાઇન અભ્યાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news