Republic Day: કોરોનામાં ધૂમધામ ભલે ઓછી હોય પરંતુ ભાવના સશક્ત છેઃ રાષ્ટ્રપતિનો દેશના નામે સંદેશ


રાષ્ટ્રપતિએ કહ્યુ કે, 73માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારી શુભેચ્છાઓ. આ આપણે બધાને એક તાંતણે બાંધનાર ભારતીયતાના ગૌરવનો ઉત્સવ છે.

Republic Day: કોરોનામાં ધૂમધામ ભલે ઓછી હોય પરંતુ ભાવના સશક્ત છેઃ રાષ્ટ્રપતિનો દેશના નામે સંદેશ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 73માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિએ કહ્યુ કે, ગણતંત્ર દિવસના વીરોને યાદ કરવાનો દિવસ છે. રાષ્ટ્રપતિએ કહ્યુ કે, 73માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારી શુભેચ્છાઓ. આ આપણે બધાને એક તાંતણે બાંધનાર ભારતીયતાના ગૌરવનો ઉત્સવ છે. વર્ષ 1950માં આજના દિવસે આપણે બધાની આ ગૌરવશાળી ઓળખને ઔપચારિક સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. રાષ્ટ્રપતિએ કહ્યુ કે, દર વર્ષે ગણતંત્ર દિવસના દિવસે આપણે ગતિશીલ લોકતંત્ર તથા રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉત્સવ મનાવીએ છીએ. મહામારીને કારણે આ વર્ષના ઉત્સવમાં ધૂમ-ધામ ભલે થોડી ઓછી હોય પરંતુ આપણી ભાવના હંમેશાની જેમ સશક્ત છે. 

વર્ષ 1950ના આ દિવસે આપણા સૌની આ ગૌરવશાળી ઓળખને ઔપચારિક સ્વરૂપ મળ્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે દર વર્ષે ગણતંત્ર દિવસ પર આપણે આપણી ગતિશીલ લોકશાહી અને રાષ્ટ્રીય એકતાની ભાવનાની ઉજવણી કરીએ છીએ. રોગચાળાને કારણે, આ વર્ષના તહેવારોમાં ભલે ઓછો ધામધૂમ હોય પરંતુ અમારી ભાવના હંમેશની જેમ મજબૂત છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પ્રજાસત્તાક દિવસે મહાન નાયકોને યાદ કરવાનો પણ એક અવસર છે જેમણે સ્વરાજના સ્વપ્નને સાકાર કરવા માટે અજોડ હિંમત દર્શાવી અને તેના માટે લડવા માટે દેશવાસીઓમાં ઉત્સાહ જગાડ્યો. માનવ સમુદાયને ક્યારેય એકબીજાની મદદની એટલી જરૂર પડી નથી જેટલી આજે છે. હવે બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ કોરોના વાયરસ સામે માનવતાનો સંઘર્ષ હજુ પણ ચાલુ છે. આ મહામારીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાષ્ટ્રપતિના દેશના નામે સંબોધનની મોટી વાતો
- મહામારીનો પ્રભાવ હજુ વ્યાપક સ્તરે છે, આપણે સાવચેત રહેવું જોઈએ અને બચાવમાં ઢીલ ન દેવી જોઈએ. આપણે અત્યાર સુધી જે સાવચેતી રાખી છે અને આગળ પણ રાખવાની છે. 

- સંકટના આ સમયમાં આપણે જોયુ છે કે કઈ રીતે બધા દેશવાસી એક પરિવારની જેમ આપસમાં જોડાયેલા છે. 

- વિશ્વની અર્થવ્યવસ્થા પર આઘાત થયો છે. વિશ્વ સમુદાયને અભૂતપૂર્વ આપદાનો સામનો કરવો પડ્યો છે. નવા-નવા રૂપમાં આ વાયરસ સંકટ પ્રસ્તુત કરતો રહે છે. 

- મને તે કહેતા ગર્વનો અનુભવ થાય છે કે આપણે કોરોના વિરુદ્ધ અસાધારણ દ્રઢ-સંકલ્પ અને કાર્ય દક્ષતાનું પ્રદર્શન કર્યુ. 

- આ પ્રયાસોના બળ પર આપણી અર્થવ્યવસ્થાએ ફરી ગતિ પકડી છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભારતની દ્રઢતાનું આ પ્રમાણ છે કે પાછલા વર્ષના વિકાસમાં આવેલી કમી બાદ આ નાણાકીય વ ર્ષમાં અર્થવ્યવસ્થા પ્રભાવશાળી દરથી આગળ વધવાની આશા છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news