સુરતમાં કેમ આપવામાં આવ્યા ચેકપોસ્ટો પર ચેકિંગના આદેશ

સુરત : ખાતર કૌભાંડ સામે આવ્યા બાદ ચેકપોસ્ટો પર સધન ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે. સુરત સહિત રાજ્યના 32 પોઇન્ટ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા આદેશ કરવામાં આવ્યો કે મે મહિના માટેની ચેકીંગ માટેની ટીમ બનાવવામાં આવે. જિલ્લાની RTO અધિકારીઓની ટીમ બનાવાવામાં આવી જેમાં 12 - 12 કલાકની શિફ્ટમાં અધિકારીઓ હાજર રહેશે. ટોલ પ્લાઝા સહિતના પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે.ચેકિંગ અંગેનો રિપોર્ટ અધિકારીઓએ આપવો પડશે સાથે RTOના કામમાં વિક્ષેપ ન પડે તેવું આયોજન પણ કરવામાં આવશે.

Trending news