પ્રેગનન્સી મામલે દીપિકાએ સોય ઝાટકીને કરી સ્પષ્ટતા, સાંભળીને થઈ જશે માન

દીપિકા પાદુકોણ અને રણવીરસિંહે 14-15 નવેમ્બરે ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા છે

પ્રેગનન્સી મામલે દીપિકાએ સોય ઝાટકીને કરી સ્પષ્ટતા, સાંભળીને થઈ જશે માન

નવી દિલ્હી : નવેમ્બર મહિનામાં લગ્ન કર્યા પછી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સતત ચર્ચામાં છે. લગ્ન પછી દીપિકાની પ્રેગનન્સીને લગતા સમાચાર આવવા લાગ્યા હતા. હવે આ મામલે દીપિકાએ પહેલીવાર ચુપકીદી તોડી છે. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ પ્રેગનન્સી વિશે સમાજમાં ફેલાયેલા રૂઢિવાદી વિચારો વિશે દિલી ખોલીને વાત કરી છે. દીપિકાના આ વિચારો જાણીને તેમને એની માટે માન થઈ જશે. 

પ્રેગનન્સીની અફવા વિશે દીપિકાએ સ્પષ્ટતા કહ્યું છે કે ''મને નથી લાગતું કે મારે એને ટેકલ કરવાની જરૂર છે. અમારા પર સતત બધાની નજર હોય છે જેના કારણે અમારે આ પ્રકારની અફવાઓનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેય ક્યારેક લોકો પોતાની રીતે અનુમાન બાંધવા લાગે છે. ક્યારેક તેઓ સાચા સાબિત થાય છે અને ક્યારેક ખોટા. આ કારણે મને આ મામલે ડિલ કરવાની કોઈ જરૂર નથી લાગતી. મને લાગે છે કે જ્યારે હું માતા બનવાની હોઈશ ત્યારે બની જઈશે. લગ્ન કર્યા પછી અને માતા બન્યા બાદ સમાજમાં જવાબદારી વધી જાય છે. મેં અનેક મહિલાઓ પાસેથી સાંભળ્યું છે કે માતૃત્વ મોટી જવાબદારી છે.''

તાજેતરમાં જ્યારે રણવીરને બેબી પ્લાનિંગ અંગે પૂછવામાં આવ્યું તો કહ્યું આ નિર્ણય મારો ઓછો અને દીપિકાનો વધારે છે. આ અંગેનો નિર્ણય મેં દીપિકા પર છોડ્યો છે. રણવીરે દીપિકાના વખાણ કરતાં કહ્યું, “દીપિકા દરેક બાબતે મારાથી ચડિયાતી છે. મને એ વાત સ્વીકારવામાં બિલકુલ સમસ્યા નથી કે તે મારા કરતાં વધુ સમજદાર છે. લગ્ન બાદ મારા વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર નથી થયો. હું પણ નથી ઈચ્છતો કે હું અને દીપિકા જરા પણ બદલાઈએ. જેવા છીએ તેવા જ રહેવા માગીએ છીએ.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news