Gangubai Kathiawadi Review: 3 હીરો વચ્ચે 'માફિયા ક્વીન' નો કિસ્સો, જ્યાં બધું છે પણ ક્લાઇમેક્સ નથી!

બોલિવૂડની સામાન્ય મસાલા મૂવીમાં અમુક ફેક્ટર જરૂરી છે. એક હીરો, એક હિરોઈન, એક વિલન અને એક સારો ક્લાઈમેક્સ. ક્લાઈમેક્સ પર ધ્યાન એટલા માટે છે કારણ કે ડારેક્ટરો ઘણીવાર ક્લાઈમેક્સ પર ધ્યાન ન આપવાની ભૂલ કરે છે, જે આખી ફિલ્મનો સાર છે અને દર્શક માટે એક પ્રકારનું 'ટેક અવે' છે, એટલે કે ક્લાઈમેક્સ જોયા પછી તેઓ તેમનો અંતિમ અભિપ્રાય મૂવી વિશે બનાવે છે અને તેમને મળનારાઓને કહે છે કે મૂવી કેવી હતી.

Gangubai Kathiawadi Review: 3 હીરો વચ્ચે 'માફિયા ક્વીન' નો કિસ્સો, જ્યાં બધું છે પણ ક્લાઇમેક્સ નથી!

કાસ્ટ: આલિયા ભટ્ટ, શાંતનુ મહેશ્વરી, વરુણ કપૂર, વિજય રાઝ, સીમા પાહવા, ઈન્દિરા તિવારી, જિમ સરભ અને અજય દેવગન
ડિરેક્ટરઃ સંજય લીલા ભણસાલી
સ્ટાર રેટિંગ: 2.5
ક્યાં જોવું: થિયેટરોમાં

નવી દિલ્હીઃ બોલિવૂડની સામાન્ય મસાલા મૂવીમાં અમુક ફેક્ટર જરૂરી છે. એક હીરો, એક હિરોઈન, એક વિલન અને એક સારો ક્લાઈમેક્સ. ક્લાઈમેક્સ પર ધ્યાન એટલા માટે છે કારણ કે ડારેક્ટરો ઘણીવાર ક્લાઈમેક્સ પર ધ્યાન ન આપવાની ભૂલ કરે છે, જે આખી ફિલ્મનો સાર છે અને દર્શક માટે એક પ્રકારનું 'ટેક અવે' છે, એટલે કે ક્લાઈમેક્સ જોયા પછી તેઓ તેમનો અંતિમ અભિપ્રાય મૂવી વિશે બનાવે છે અને તેમને મળનારાઓને કહે છે કે મૂવી કેવી હતી. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં ત્રણ હીરો હોવા છતાં કોઈ હીરો નથી, આલિયા ભટ્ટ એકમાત્ર હીરો છે અને એ જ હીરોઈન છે. બીજો કોઈ વિલન પણ નથી, વિજય રાજ પહેલો વિલન લાગે છે, પણ તે નાના સ્તરનો વિલન સાબિત થાય છે, ત્રીજી મૂવીમાં કોઈ ક્લાઈમેક્સ નથી, સેન્સર બોર્ડે એક સીન કાપી નાખ્યો હોય તો પણ લોકો ચર્ચા કરે. જો કે આ ફિલ્મ સંજય લીલા ભણસાલી માટે એક મોટું જોખમ છે, કારણ કે ક્યાં તેઓ રણવીર-દીપિકા જેવા સુપરસ્ટાર કપલના નામે 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને 'રામ લીલા' જેવી ફિલ્મો બનાવતા રહ્યા અને ક્યાં હીરો વિના એકલી આલિયા ભટ્ટ.

કેવું છે ગંગુબાઈનું પાત્ર?
ધારો કે ગંગુબાઈ વાસ્તવિક પાત્ર નહીં, પરંતુ કાલ્પનિક પાત્ર હતા. હવે કલ્પના કરો કે તમે જે પાત્રને મુખ્ય પાત્ર બનાવી રહ્યા છો તે એટલું નબળું સાબિત થાય છે કે સેંકડો છોકરીઓ વચ્ચે કોઈ તેના ઘરમાં કોઇ તેનો રેપ કરીને જતું રહે છે અને તે કંઈ કરી શકતી નથી, તે અંડરવર્લ્ડના ડોનના દરવાજે જાય છે. પછી રઝિયાના રોલમાં એકલો વિજય રાજ તેની આખી ગેંગ સામે ખાવામાં દારૂ ભેળવીને જતો રહેછે, તેમ છતાં તે કંઈ કરી શકતી નથી. પોલીસે તેના ઠેકાણા પર દરોડા પાડીને છોકરીઓને માર મારે છે, લાચાર બનીને તેને પૈસા ચૂકવવા પડે છે, સ્કૂલવાળા તેના કોઠા પર ચઢી જાય છે, છતાં તે કંઈ કરી શકતી નથી. કહેવાનો મતલબ એ છે કે તમે જેને હીરો તરીકે રજૂ કરો છો, ઘણી વખત માર ખાધા પછી, તે એક વખત આક્રમક સ્થિતિમાં બદલો લે છે, પરંતુ ગંગુબાઈ એવું કંઈ કરતી નથી. તે ફક્ત ડાયલોગ મારે છે.

ખટકે છે આ વાત
એવામાં દર્શકોની નજરમાં તે નાયિકા તરીકે, મજબૂત પાત્ર તરીકે ઉભરી શકતી નથી. પછી વારંવાર કહેવામાં આવ્યું છે કે તે કમાઠીપુરાની છોકરીઓના ભલા માટે એટલું મોટું કામ કરી રહી છે કે તેના વિશે વડાપ્રધાનને પણ ખબર હતી. તેણે વ્યક્તિગત રીતે બે કે ત્રણ છોકરીઓને ચૂંટણી જીતાડવામાં મદદ કરી, જે મૂવીમાં બતાવવામાં આવ્યું હતું. કમાઠીપુરાની પ્રમુખ હોવાથી શાળાના લોકો દ્વારા તેણીને નિશાન બનાવવામાં આવી હતી અને તેણીએ માત્ર બોલીને વિરોધ કર્યો હતો, પરંતુ ન તો કોઈ પ્રદર્શન કર્યું, ન કોઈ મોરચો કાઢ્યો કે ન કોઈ વકીલ, જે કોર્ટમાં તેનો કેસ લડી શકે, તો તેણીએ શું કર્યું કે પીએમ તેને ઓળખતા હતા. તેણે તેના કોઠાની કેટલીક છોકરીઓને સ્કૂલમાં એડમિશન લેવા માટે અને તેમાંથી કેટલીકને બેંક એકાઉન્ટ ખોલવાની તૈયારી કરતાં જરૂર બતાવવામાં આવી છે. 

આલિયાના ખભા પર ટકી છે ફિલ્મ
એવામાં જે કામની જવાબદારી દીપિકા, રણવીર અને શાહિદની હતી તે કામ એકલા આલિયાના ખભા પર નાખવામાં આવ્યું હતું, તે પણ જ્યારે કેરેક્ટર મજબૂત લાગતું નથી. કાં તો ભણસાલીએ તેને વાસ્તવિકતાની નજીક લાવવા માટે પૂરતો શક્તિશાળી બતાવી નથી. પરંતુ તમે 'બાજીરાવ મસ્તાની'માં બાજીરાવને યોદ્ધા ઓછા રોમેન્ટિક વધુ બતાવ્યા છે, તમે ગંગુબાઈનું ડ્રગ પેડલરનું રૂપ ગાયબ કરીને તેને માત્ર દારૂની સ્મગલર જ બતાવી. તો ગંગુબાઈને મજબૂત બતાવવામાં ખોટું શું હતું? સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં આ ફિલ્મ સંજય લીલા ભણસાલી માટે મોટું જોખમ છે. જે હસન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત છે.

આવી છે ફિલ્મની કહાની
ફિલ્મની વાર્તા મુંબઈના કુખ્યાત વિસ્તાર કમાઠીપુરાની છે, જ્યાં એક કોઠો ચલાવતી માસી (સિમા પાહવા) ને ત્યાં 60ના દાયકામાં એક છોકરી વેચવામાં આવે છે, જે કાઠિયાવાડના એક બેરિસ્ટરની પુત્રી ગંગા (આલિયા ભટ્ટ) હતી. તે એ છોકરાના પ્રેમમાં હતી અને હીરોઈન બનવાના લાલચમાં તેની સાથે તેના ઘરેથી ભાગી આવી હતી. ધીમે ધીમે તે કોઠા પર જ સ્થાયી થઈ જાય છે, તે માસીને પડકારવા લાગે છે. જ્યારે રહીમ લાલા (અસલીમાં મુંબઈનો ડોન કરીમ લાલા) એટલે કે અજય દેવગનનો માણસ તેની સાથે કોઠામાં ખરાબ રીતે બળાત્કાર કરે છે, ત્યારે તે રહીમ લાલા પાસે મદદની અપીલ કરે છે તે બીજી વખત તે બીજી વખત તે વ્યક્તિને ત્યાં આવીને માર મારે છે. તેથી ગંગુબાઇની ધાક જામી જાય છે પછી
ગંગુબાઈ જ તે કોઠાની માલકિન બની જાય છે. 

પછી તેને કમાઠીપુરાના પ્રમુખ બનવાનો ચસ્કો લાગે છે, તેના માર્ગમાં રઝિયા (વિજય રાજ) આવે છે, જે વર્ષોથી કમાઠીપુરાની પ્રમુખ છે. તેમના પરસ્પર સંઘર્ષ પછી તેના માર્ગમાં બીજી મોટી સમસ્યા સામે આવે છે, તે વિસ્તારની 40 વર્ષીય કન્યા શાળા. જેઓ ઈચ્છે છે કે કમાઠીપુરામાંથી કોઠા દૂર કરવામાં આવે તો કેટલાક લોકો બિલ્ડરો સાથે હાથ મિલાવીને તે વિસ્તારનો વિકાસ કરે છે. એવામાં પત્રકાર સૈફી (જીમ સરભ) તેની મદદ કરે છે અને એક દિવસ તે વડાપ્રધાન પંડિત નેહરુને મળે છે અને તેની માંગણી રજૂ કરે છે.

નકલી લાગે છે સેટ
ફિલ્મનું સૌથી શક્તિશાળી પાસું એ છે કે હંમેશાની જેમ સંજય લીલા ભણસાલીએ જૂના સમયને સારી રીતે ઢાળવાનો પ્રયાસ કર્યો છે, કેટલાક દ્રશ્યો ખરેખર સારા બન્યા છે. પણ એક જ ગલીમાં થિયેટર, ડેન્ટિસ્ટ, તેના પ્રેમીનું દરજીનું ઘર, રઝિયાના કોઠા વગેરે હોવાથી એવું લાગે છે કે એક જ ગલીની કહાની છે, પછી દરેક થાંભલા, ખૂણે ખૂણે જૂની ફિલ્મોના પોસ્ટરો બોલિવૂડ થીમ રેસ્ટોરન્ટ જેવો લુક પણ આપે છે. તેથી ક્યારેક તે સેટ પણ બનાવટી લાગે છે.

આલિયાની એક્ટિંગે જીતી લીધું દિલ
ફિલ્મની બીજી સૌથી શક્તિશાળી બાજુ આલિયા ભટ્ટની એક્ટિંગ છે. જો કે તેની રોયલનેસ, તેણીના કુલીન રંગને છુપાવી શકતી નથી, તેમ છતાં તેની ડાયલોગ ડિલિવરી અને પોતાના ઇમોશન્સને ઠાલવવામાં જવાબ નહી, તેથી તે નબળી પડી નથી. તે ઘણા સીનમાં શાનદાર દેખાય છે. ખરી સમસ્યા તો પહેલા ફકરામાં જ લખી દેવામાં આવી છે કે જ્યારે પાત્રને જ કમજોર બનાવી દેવામાં આવે છે, જે જવાબ નથી આપતો, બદલો નથી લેતો, દરેક વસ્તુ માટે ડોનના દરબારમાં જોવા મળે છે. ત્યારે આલિયા ભટ્ટ એ પાત્રમાં કેટલો જીવ પુરશે? પછી દરેક વખતે એવું લાગે છે કે આ પાત્ર આ ફિલ્મમાં આગળ વધશે, દર્શકો તેની સાથે જોડાવા લાગે છે, જેમ કે ક્યારેક ટેલરના પુત્ર અફસાન (શાંતનુ મહેશ્વરી) સાથે, ક્યારેક રઝિયા સાથે, ક્યારેક રમણીક લાલના પાત્ર સાથે, ક્યારેક રહીમ લાલા અને ક્યારેક એક પત્રકાર સૈફીના પાત્ર સાથે, પરંતુ આ બધા પાત્રો ક્યારે અચાનક અદૃશ્ય થઈ જાય છે અથવા આ બધા પાત્ર ક્યારે અચાનક ગાયબ અથવા સાઇડ લાઇન કરી દેવામાં આવે છે ખબર પડી નથી. 

ફિલ્મના ગીતો છે દમદાર
સંજય લીલા ભણસાલીની લડાઈ પોતાની સાથે છે, જેમ કે લાર્જર ધેન લાઈફ ફિલ્મો તેમને બનાવી છે. તેમની પાસેથી અપેક્ષા પણ વધુ વધે છે. પણ તે લાર્જર ધેન લાઈફ ગંગુબાઈ જેવી લાગતી નથી. તેમની વાર્તામાં ક્યારેક એવું લાગે છે કે કોઈ મોટો વળાંક આવવાનો છે, જે આવતો નથી, તો પછી ક્લાઈમેક્સમાં નેહરુએ ગંગુના વાળમાં ગુલાબ લગાવવાનું દ્રશ્ય પણ સેન્સર બોર્ડે કાપી નાખ્યું હતું. ક્લાઈમેક્સ પહેલાથી જ કંઈ ખાસ ન હતો. તે પછી તે વધુ નકામું થઈ ગયું. સંગીત મધુર છે, ગીતો સારી રીતે શૂટ થયા છે, પરંતુ તેમની જૂની ફિલ્મોની સરખામણીમાં તે ક્યાંય જોવા મળતા નથી, રણવીર-દીપિકા જેવી એનર્જી ખૂટે છે. આવી સ્થિતિમાં સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મને માત્ર આલિયા ભટ્ટના ખભા પર મૂકીને મોટું જોખમ લીધું છે એમ કહેવું ખરેખર સાચું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news